SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ માઠક જે પ્રકૃતિ એકલી હેય પણ પિંડરૂપ ન હોય તે પ્રત્યેક પ્રકૃતિ કહેવાય. તેના આઠ પ્રકારો છેઃ (૧) અગુરુલઘુ (૨) ઉપઘાત, (૩) પરાઘાત, (૪) આતપ, (૫) ઉદ્યોત, (૬) શ્વાસે. છુવાસ, (૭) નિર્માણ અને (૮) તીર્થકર. અગુરુલઘુનામકર્મ : આ કર્મના ઉદયથી જીવને અતિ ભાર પણ નહિ અને અતિ હલકું પણ નહિ, એવું સમ શરીર પ્રાપ્ત થાય. ઉપઘાતનામકર્મ : આ કર્મના ઉદયથી જીવ ચોર. દાંત, રસેલી, વધારે આંગળાં, એાછાં આગળ વગેરેથી ઉપઘાત પામે, દુઃખ પામે. પરાઘાતનામ કમ : આ કર્મના ઉદયથી જીવ પિતાની હાજરી અથવા વચનબલ વડે બીજા પર પોતાનો પ્રભાવ પાડી શકે છે. આપના મકમ : આ કર્મના ઉદયથી જીવનું શરીર તાપયુક્ત હોય. સૂર્યનાં વિમાનમાં પૃથ્વીકાયના જીવે છે, તેમનું શરીર શીતળ હોવા છતાં દૂરથી તે બીજાને તાપ કરે છે. તેમને આ આતપનામકર્મને ઉદય જાણ. તેમના સિવાય બીજા જીવોને આતપનામકર્મને ઉદય હોતો નથી. અહીં કોઈ પ્રશ્ન કરે કે “અગ્નિમાં રહેલા અને આતપ નામકર્મનો ઉદય હોય કે નહિ ? તેને ઉત્તર એ છે કે તેમને આતપનામકર્મને ઉદય હેતે નથી, ઉણપને અને રાતા વર્ણને ઉદય હોય છે.” ઉદ્યોતનામકર્મ આ કર્મના ઉદયથી જીવનું શરીર
SR No.007256
Book TitleAatmtattva Vichar Part 01
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1974
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy