SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ આત્મતત્વવિચાર અહીં એટલું યાદ રાખવું કે કામણ વગણના ભાગલા પડે છે, ત્યારે તે પોતે પિતાના જથ્થામાં ચેટિી જાય છે, એક મોટી વખારમાં અનેક જાતને માલ આવે છે, પણ તે બધો પિોતપોતાની જાતમાં ગોઠવાઈ જાય છે, તેના જેવી જ આ ક્રિયા છે. કર્મની મૂળ પ્રકૃતિ કમને હવભાવ આઠ પ્રકારને છે, એટલે કમની મૂળ પ્રકૃતિ આઠ માનવામાં આવી છે. (૧) જ્ઞાનાવરણય, (૨) દર્શનાવરણીય, (૩) વેદનીય, (૪) મોહનીય, (૫) આયુષ્ય, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અંતરાય. અહીં એક મહાનુભાવ પ્રશ્ન કરે છે કે “કમની પ્રકૃતિને મૂળ વિશેષણ લગાડવાનું કારણ શું?” તેને ઉત્તર એ છે કે “દરેક કમની ઉત્તરપ્રકૃતિઓ પણ છે, તેનાથી ભિન્નતા દર્શાવવા માટે અહીં મૂળ એવું વિશેષણ લગાડેલું છે.' - તમે “અષ્ટકમ' એ શબ્દપ્રયોગ તે ઘણી વાર સાંભળ્યું હશે. ચિત્યવંદને, સ્તવને, સજઝા વગેરેમાં તે અનેક વખત આવે છે. ત્યાં અષ્ટકમથી આ મૂળ આઠ પ્રકૃતિઓ સમજવાની છે. આયુષ્ય પ્રકૃતિને બંધ કયારે અને કેમ પડે? કર્મની આઠ પ્રકૃતિઓમાં આયુષ્ય પ્રકૃતિને બંધ એક જ વાર પડે અને બાકીની સાત પ્રકૃતિએને બંધ સમયે
SR No.007256
Book TitleAatmtattva Vichar Part 01
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1974
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy