________________
૩૨૮
આત્મતત્વવિચાર
જાતનું દુઃખ ન હોય, એ અમે સમજી શકીએ છીએ. પણ ત્યાં સુખને અનુભવ શી રીતે થાય? એ અમારી સમજમાં ઉતરતું નથી, એટલે તેને ખુલાસે પણ કરી દઈએ.
અહીં પ્રશ્નકાર એમ કહેવા ઈચ્છતા હોય કે સુખ તે અન્ય વસ્તુના સંયોગથી જ થાય, તે આત્મસુખ એ કોઈ સંયોગજન્ય વસ્તુ નથી કે જેને અનુભવ કરવા માટે તેને અન્ય કોઈ વસ્તુની અપેક્ષા રહે. સુખ એ આત્માને સ્વભાવ છે, એટલે તેનાં પ્રતિબંધક કારણે દૂર થતાં તે સુખને અનુભવ કરવા લાગે છે અને અનંતકાળ સુધી એ જ પ્રમાણે સુખનો અનુભવ કર્યા કરે છે.
એક મનુષ્ય લાંબા વખતથી કેદખાનામાં પડ હેય અને વિવિધ પ્રકારની યાતનાઓ ભોગવતે હેય, તે રાજાને ત્યાં પુત્રને જન્મ થવાથી એકાએક છૂટ થાય, ત્યારે કે આનંદ પામે? તમે કહેશો કે એનું માપ કાઢવું મુશ્કેલ. તો પછી જે આત્મા અનંત ભવથી કર્મના બંધનમાં સબડે છે અને વિવિધ પ્રકારની યાતનાઓ ભોગવે છે, તેને જ્યારે કર્મબંધનમાંથી સર્વથા છૂટકારે થાય, ત્યારે તેને કે આનંદ થતું હશે? કેવું સુખ લાગતું હશે? તેની કલ્પના કરી . | મુક્તિનાં સુખ સંબંધી કેટલાંક ઉદાહરણ. • જે આ વિષયમાં તમારી કલ્પના ચાલતી ન હોય તે અમે થોડાં ઉદાહરણોથી તેને ખ્યાલ આપીશું. માની લો કે એક મનુષ્ય પાસે સુંદર કપડાં છે, મનગમતાં ઘરેણું છે, માટે આલીશાન બંગલે છે, પાંચ-સાત મોટર છે, ઘરમાં કુળવતી