SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૭. આત્મતત્વવિચાર એ ચક છોડે છે, તે સીધું રાવણ ભણી જાય છે, તેની છાતીમાં અથડાય છે અને તેનું પ્રાણપંખેરૂ ઉડી જાય છે. પરસ્ત્રીમાં લંપટ થનાર અને છેવટ સુધી પિતાની ભૂલ ન સુધારનાર આત્માની ગતિ કેવી થાય ? તે તમે સમજી શકો છે. રાવણનો આત્મા ચોથા નરકે ગયે અને ત્યાં આજે પણ ઘોર યાતના ભોગવી રહ્યો છે. રાવણનાં મૃત્યુથી તેની સેનામાં હાહાકાર મચ્યો અને રામની સેનામાં હર્ષના પિકાર થવા લાગ્યા. રામે લંકાનું રાજ્ય બિભીષણને સોંપ્યું. તાત્પર્ય કે રાવણ જેવા એક મહાન બળવાન રાજાએ પિતાનાં લાખ રૂ૫ કર્યા, છતાં તે વાસુદેવને મહાત કરી ન શ, એટલે વાસુદેવની શક્તિ ગજબની હોય છે. ચકવતનું બળ. ચક્રવર્તી એટલે સમસ્ત ભરતખંડને રાજા. તેના રાજ્ય વિસ્તારમાં નાના મોટા ૩૨૦૦૦ દેશ, ૭૨૦૦૦ હજાર નગર અને ૯૬ કેડ ગામડાં હોય છે. તે ૬ કેડ પાયદળ સૈન્ય વગેરે મટી ઋદ્ધિને તેમજ ૧૪ રત્ન, ૯ નિધિ અને ૬૪૦૦૦ સ્ત્રીને સ્વામી હોય છે. રત્ન એટલે હીરા-માણેક વગેરે ન સમજતા. એવા રત્ન તે તેની પાસે લાખોની સંખ્યામાં હાય. અહીં રનથી વિશિષ્ટ
SR No.007256
Book TitleAatmtattva Vichar Part 01
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1974
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy