SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માની શક્તિ ૨૫૫ મહેલમાં બહારના ભાગમાં ઘંટડીઓ હોય છે. જ્યારે હરિ– છેગમેષી સુઘાષા ઘંટ વગાડે ત્યારે વિમાનમાં રહેલા સ્થાનિક ઘંટ વાગવા લાગે છે અને તેની સાથોસાથ મહેલની ઘંટડીઓ પણ રણકી ઉઠે છે. આ વાત આપણે એક આત્મામાં કેટલી શક્તિ રહેલી છે. અને તેને પ્રભાવ ઇન્દ્રો અને દેવે પર પણ કે પડે છે? એ દર્શાવવાના હેતુથી કહી રહ્યા છીએ. તીર્થકરોની પૂજા કરતી વખતે ઈન્દ્રો પણ તેમને પોતાના સ્વામી કહીને સંબોધે છે. એને અર્થ એ કે આટલી રિદ્ધિસિદ્ધિના માલીક ઈન્દ્રો પણ તેમના સેવક છે. નામના મેહ પર નરઘાજીનો કિસ્સો, ગુરુ મહારાજ આગળ શ્રાવકોનું સ્થાન પણ એવું જ ગણાય, પરંતુ આજકાલ આચાર્ય મહારાજ કઈ પૈસાદાર શ્રાવકને નામથી બોલાવે અને તેની આગળ માનાથે શેઠ ન કહે તે તેને ખોટું લાગી જાય છે અને આ આચાર્ય મહારાજ તે કંઈ કામના નહિ” એવું બોલવા માંડે છે. દાદા ગુરુ શ્રી વિજયકમસૂરીશ્વરજી મહારાજ આચાર્ય હતા, ત્યારની આ વાત છે. એ વખતે શ્રી વીરવિજયજી મહારાજ ઉપાધ્યાય હતા અને મારવાડમાં વિચરતા હતા. તેઓ સ્વભાવે હસમુખા હતા. તેમને વ્યાખ્યાન વખતે શ્રાવકને નામથી બોલાવવાની આદત હતી. વ્યાખ્યાન સાંભળવા ગામના નગરશેઠ નરઘાજી પણનિય. મિત આવતા. તે વખતે ગુરુ મહારાજ “કેમ નરઘાજી? આ વાત ખરીને?” એ શબ્દોથી સંબોધન કરતા. પરંતુ તે વખતે
SR No.007256
Book TitleAatmtattva Vichar Part 01
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1974
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy