SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ આત્મતત્ત્વવિચાર પરંતુ મતિ એટલે બુદ્ધિના પ્રકારો જોઇએ તે ચાર છે. ૧ ઔત્પત્તિકી, ૨ વનયિકી, ૩ કામિઁકી અને ૪ પારિણામિકી. જે બુદ્ધિ સૂત્ર, ગુરુ કે વડીલની મદદ વિના જન્માંતરીય સકારાની ક્ષચેાપશમની તીવ્રતાને લીધે વસ્તુના યયાથ મને પકડી શકે છે અને તેના ચેાગ્ય ઉપાય ચૈાજી શકે છે, તે ઔપત્તિકી. જે બુદ્ધિ ગુરુ અને શાસ્ત્રના વિનય કરવાથી પ્રગટે છે, તે વયિકી. જે બુદ્ધિ કમ એટલે વારંવારના અભ્યાસથી ઉત્પન્ન થાય છે, તે કામિકી; અને જે બુદ્ધિ અનુભવથી પાકટ થયેલી હાય છે, તે પાણિામિકી બુદ્ધિના આ ચારે પ્રકારાનુ સ્વરૂપ તેનાં દૃષ્ટાંતથી ખ્યાલમાં આવી જશે. ઔપત્તિકી મુદ્િ ગામડાના એક ખેડૂત કાકડીનું ગાડુ' ભરીને નજીકના શહેરમાં વેચવા ગયે. ત્યાં એક ચાલાક માણસે આવીને કહ્યું કે એ કાઈ માણુસ આ ગાડાની બધી કાકડીએ ખાઈ જાય તા તેને શું આપે?' આ તે કઈ બનતુ હશે? એમ માનીને પેલા ખેડૂતે કહ્યું કે · જો કોઈ એમ કરે તે તેને આ નગરના દરવાજામાંથી બહાર નીકળી શકે નહિ એવા લાડુ' આપુ’ " ચાલાક માણસે એ શરતના સ્વીકાર કર્યો અને તેનાં ગાડામાં ભરેલી બધી કાકડીએ જરા જરા ચાખી લીધી. પછી તે ખેડૂત એ કાકડીઓ વેચવા લાગ્યા, ત્યારે લેાકાએ કહ્યું કે આ બધી કાકડીએ ખાધેલી છે.' પેલા ચાલાક આ શબ્દો પકડી લીધા અને ખેડૂતને જણાવ્યું કે ‘મારી શરત મે પૂરી કરી છે, માટે તારી શરત તુ પૂરી કર. ’
SR No.007256
Book TitleAatmtattva Vichar Part 01
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1974
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy