________________
oooooooooooooooooooooooooooooooના
OOOOOOOOOOOOOOOOOOO
ooooooooooooooooooooooooooooooooooooooooo
વ્યાખ્યાન સાતમું
આત્માનું મૂલ્ય મહાનુભાવો !
શ્રી ઉત્તરાધ્યનસૂત્રમાં છત્રીશમા અધ્યયનમાં આવતું અલ્પસંસારી આત્માનું વર્ણન એ આપણા વિષયની મૂળ પીઠિકા છે. જે આત્માનું સ્વરૂપ સારી રીતે સમજાયું હોય તે જ એ પીઠિકા પર તમારી દષ્ટિ સ્થિર થાય અને તમે પણ અપસંસારી આત્માના ગુણે કેળવી આ ભયાનક ભવસાગરન શીધ્ર પાર પામી શકે, તેથી આત્માનું સ્વરૂપ પ્રકાશવાનો અમારો પ્રયાસ છે. - જિનવચન આપણે માટે છેલ્લો શબ્દ છે. આમ છતાં તેની સાથે અમે યુક્તિ અને ઉદાહરણે પણ સારા પ્રમાણમાં આપીએ છીએ, જેથી તમારા મનમાં ઉઠતી શંકાઓનું સમાધાન થાય અને તમે નિઃશંક બનીને આરાધનામાં આગળ વધી શકે.
તમે વ્યાપારી છે અને દરેક વસ્તુનું મૂલ્યાંકન કરો છો. તેમાં જે વસ્તુ વધારે મૂલ્યવાન–વધારે કિંમતી જણાય તેને મહત્વ આપે છે અને તેની પ્રાપ્તિથી આનંદ પામે છે જેની પાસે થોડા ત્રાંબિયા છે, તે ચાંદીના સિકકાથી આનંદ પામે છે, કારણ કે તેનું મૂલ્ય ત્રાંબા કરતાં વધારે છે જેની પાસે ચાંદીના સિક્કા છે તે સોનામહોરોથી આનંદ પામે છે, કારણ કે તેનું મૂલ્ય ચાંદી કરતાં વધારે છે. જેની પાસે સેના