SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ આત્મતત્વવિચાર - હવે શેઠ જાણતા હતા કે જમાઈને દૂધપાક મળે, રબડી પણ મળે, જે પકવાન-મિષ્ટાન જોઈએ તે પણ મળે, પરંતુ સસરાના ઘરમાં ગુડરાબ ન મળે, કારણ કે તે ગરીબ લોકોનું મિષ્ટાન્ન છે. એટલે તેમણે કહ્યું “ગુડરાબ કરતાંયે સારું ખાવાનું આપીશ પરંતુ જાટે કહ્યું: “ના શેઠ! આ જગતમાં તેનાથી સારું કંઈ ન હોય. મારે તે ગુડરાબ જોઈએ. જે તે માટે કબૂલ થતાં હે તે બેસવા દઉં, નહિ તે હું મારે આ ચાલે.” શેઠે સમય ઓળખી તેની શરત કબૂલ કરી. આમ ગાડામાં બેસી શેઠ સાસરે આવ્યા. શેઠ સાથે જાટને પણ સત્કાર થયે. શેઠને નવરાવ્યા–ધવરાવ્યા અને સાથે પેલા જાટને પણ નવરા - ધવરાવે. પણ પેલાને ચેન ન પડે. તેનું મન તે ગુડરાબમાં જ ભરાઈ ગયું હતું. પરંતુ આ શેઠનું સાસરું હતું, એટલે બેલાય નહિ, એટલું તે સમ જતે હતે. બંનેને જમવા બેસાડયા. બરફી, પેંડા અને બીજી જાત-જાતની વાનીઓ પીરસાઈ, પણ પેલી ગુડરાબ એટલે ગળનું ગરમાણું ન આવ્યું. પીરસવા ધારેલું તે બધું પીર 'સાઈ ગયું, એટલે સાળાઓએ શેઠને કહ્યું કે “જમવાનું ચાલુ કરે.” આ વખતે શેઠે જાટના સામું જોયું અને ઈસારાથી જમવાનું ચાલુ કરવા કહ્યું, ત્યારે જાટે ઈસારાથી સામું પૂછ્યું કે “ગુડરાબ કયાં ?” શેઠે ઘસારાથી કહ્યું: “એ હમણાં આવશે, તું ખાવા માંડે.”
SR No.007256
Book TitleAatmtattva Vichar Part 01
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1974
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy