SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલા ભાગ ૨૦૭ દ્રવ્યપૂજા છે. મંદિરમાં જાય ને કાઇ કેસરની વાટકી આપે તો એનાથી પૂજા કરે, તા એમાં એના પરિગ્રહનું ઝેર ઉતરે ખરૂં? પેાતાનું દ્રવ્ય વપરાયું હોય, તે એમે ય થાય કે · મારૂં ધન શરીરાદિને માટે તે ઘણું વપરાય છે, એમાં ધન જાય છે ને પાપ વધે છે, જ્યારે ત્રણ લેાકના નાથની ભકિતમાં મારૂં જે કાંઈ ધન વપરાય, તે સાર્થક છે.’ પેાતાના દ્રવ્યથી પૂજા કરવામાં, ભાવવૃદ્ધિના જે પ્રસંગ છે, તે પારકા દ્રવ્યથી પૂજા કરવામાં નથી. ભાવને પેદા થવાનું કારણ જ ન હોય, તે। ભાવ પેદા થાય શી રીતિએ ? ધનહીન શ્રાવક સામાયિક લઈને શ્રી જિનન્દિરે જાય : સ૦ સગવડના અભાવે જેએ જિનપૂજા કર્યા વિના રહી જતા 6 હાય, તેમને સગવડ આપવામાં આવે તે લાભ થાય ને ? શ્રી જિનપૂજા કરવાની સગવડ કરી આપવાનું મન થાય એ સારૂં છે; તમને એમ થાય કે- અમે તેા અમારા દ્રવ્યથી રાજ શ્રી જિનપૂજા કરીએ છીએ, પણ ઘણા એવા છે, કે જેમની પાસે એવી સગવડ નથી. તેવાઓ પણ શ્રી જિનપૂજાના લાભથી વંચિત ન રહી જાય, તેા સારૂં.' તે એ તમને શૈાલતું જ ગણાય; પણ એમ થવાની સાથે જ, એમ પણ થવું જોઈ એ કે– પેાતાના દ્રવ્યથી શ્રી જિનપૂજા કરવાની જેએ પાસે સગવડ નથી, તેને અમારે અમારા દ્રવ્યથી સગવડ કરી આપવી જોઈએ.' આવું મનમાં આવતાં, ‘ જેઓની પાસે પૂજા કરવાની સગવડ નથી, તેઓ પણ પૂજા કરનારા અને એ માટે પણ અમારે અમારા દ્રવ્યના વ્યય કરવા’– આવે નિર્ણય જો તમે કરો, તો તે તમારે માટે લાભનું કારણ
SR No.007253
Book TitleChar Gatina Karno Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy