________________
૮૩
પહેલે ભાગ થાય છે, તે પણ જે ધર્મક્રિયા થાય છે, તેમાં તમને એવા આનંદ આવે છે કે-ઘણું પ્રમાણમાં અને ઘણે વખત સંસારકિયાને કરતા રહેવા છતાં પણ, એમાં તમને એ આનંદ તે આવતો જ નથી! પેલી કિયા ઘણી થાય, છતાં મનમાં એમ થાય છે કે–નહિ કરવાની ક્રિયા થાય છે અને એથી એમાં મન ઠરતું હતું. એમાં આનંદ આવી જાય છે, તે પણ, એ આનંદ થવા તરફ અણગમે ઉપજે છે! જ્યારે ધર્મક્રિયા થાય છે થેડી, છતાં મનમાં એમ થાય છે કે-હું આ કિયા વધારે કરી શકું તે સારું, કેમ કે-મારે કરવા લાયક તે આ જ ક્રિયા છે; એટલે, થેડી પણ ધર્મકિયામાં આનંદ ઘણે આવે છે અને એ આનંદની અનુમોદના કરવાનું મન થાય છે ! હમણાં એ વાત નથી કે–તમે સંસારકિયા ઘણી કેમ કરે છે અને ધર્મકિયા થેડી કેમ કરે છે ? માની લઈએ કે–હાલ તમારે માટે આથી વધારે સારી અનુકૂળતા નથી; એટલે, તમે તમારા જીવનને સંસારકિયાથી પર અને ધર્મકિયામય બનાવી દે, એ વાતને ગૌણ બનાવી દીધી છે; પણ મનમાં એવું તો ખરું જ ને કે-કયારે એ સમય આવી લાગે, કે જ્યારે મારું જીવન સંસારકિયાથી સર્વથા પર બની જાય અને ધર્મક્રિયાથી ભરપૂર બની જાય? એવા સંગની રાહ જોતા જ તમે બેઠા છે ને? ભગવાન શ્રી જિનેશ્વર અન્તિમ ભવમાં મેહને આધીન
બનીને સંસારમાં રહ્યા નથી : શુદ્ધ સમ્યગ્દષ્ટિ આત્મા, સંસારને સેવે જ નહિ અને જે કઈ સંસારને સેવતો હોય, તે સમ્યગ્દષ્ટિ હોઈ શકે જ