________________
“પોતે અંતરમાં નથી જઈ શકતો તેનું કોઈ કારણ તો
-
હોવું જોઈએ ને ! અનંત ગુણનો અપાર મહિમાવંત પ્રભુ છે તેમાં ન જવાનું કોઈ કારણ તો હશે ને ? કાં પરનું અભિમાન, કાં રાગનું અભિમાન, કાં પોતે ક્યાં અટકે છે તેની ખબર નથી (વગેરે.) તેથી અંતરમાં જઈ શકતો નથી.’
૧૬૮.
પ્રવચન-૭, તા. ૫-૨-૧૯૮૩
(પરમાગમસાર) ૧૬૮, પોતે અંતરમાં નથી જઈ શકતો તેનું કોઈ કારણ તો હોવું જોઈએ ને ?’ સમયસારના ૨૩૮ કળશ ઉપરનાં (પૂજ્ય ગુરુદેવશ્રીના) પ્રવચનમાંથી આ ૧૬૮ નંબરનો બોલ છે. કહે છે કે કોઈ જીવ સત્ શાસ્ત્રો દ્વારા અનેકવિધ પ્રકારે વ્યવસ્થિતપણે પદ્ધતિસર જ્ઞાનાભ્યાસ કરે છે અને વસ્તુના સ્વરૂપને સમજે છે, સાથે સાથે બહારમાં પણ કષાયની મંદતા આદિ યોગ્ય વ્યવહારમાં પણ પ્રવર્તે છે. સત્ શાસ્ત્રથી સમજે, સત્ ગુરુથી સમજે, અનુભવી જ્ઞાનીથી સમજે. બહા૨થી વ્યવસાય આદિથી નિવૃત્તિ લઈને સત્ સમઁજવા માટે (નિવૃત્તમાં રહે). આ તો સોનગઢમાં વાતો ચાલી છે એટલે ઍ પ્રકાર ભયો છે ને ! (એટલે ગુરુદેવશ્રીને) ખબર છે કે કેટલાંક માણસો બહારની પ્રવૃત્તિ છોડીને નિવૃત્તિ લઈને સમજવા માટે અહીંયા રહે છે, નિવાસ "કરે છે.