________________
કહાન રત્ન સરિતા
૩૭
પોતાના મતિદોષને લઈને જ્ઞાનના વિપર્યાસને લઈને અન્યથા એ તત્ત્વને ગ્રહણ કરે છે. એની અંદર એક તત્ત્વમાં બીજા તત્ત્વનો અધ્યાસ થાય છે. નવ તત્ત્વ છે ને કુલ ? એમાં એક તત્ત્વમાં બીજા તત્ત્વનો અધ્યાસ થાય છે, ત્યારે પણ એને ગૃહીત મિથ્યાદર્શન લાગુ પડે છે. આમ છે.
એટલે એમાં એકલા સાચા દેવ-ગુરુ-શાસ્ત્રને ઓળખે તોપણ, કોઈ એમ કહે કે અમે તો વિચાર કર્યો છે કે, ૧૮ દોષ રહિત વીતરાગ છે તે સર્વજ્ઞદેવ છે, તે દેવ છે. નિગ્રંથ ગુરુ છે (તે) બાહ્યાવ્યંતર - અત્યંતર પરિગ્રહ અને બાહ્ય પરિગ્રહના ત્યાગ સહિત નિગ્રંથ મુનિ છે, સાતમે - છઠ્ઠ ગુણસ્થાને ઝૂલનારા શુદ્ધાત્મ દશાના સાધક ઉત્કૃષ્ટ સાધક, તે ગુરુ છે અને એમના નિરૂપેલા સિદ્ધાંતો છે તે સત્શાસ્ત્રો છે. તે સત્શાસ્ત્ર છે. આ તો અમે બરાબર માનીએ છીએ. આવું સ્વીકાર્યા પછી પણ બીજે ક્યાંય તત્ત્વના વિષયમાં ગડબડ થાય તોપણ ત્યાં ગૃહીત મિથ્યાદર્શન લાગુ પડે છે. ઠીક ! આમ છે. મુમુક્ષુ :- એટલે બંધ માર્ગને સંવર માને ? પૂજ્ય ભાઈશ્રી :બંધ માર્ગને સંવર માટે અથવા તો વસ્તુના સ્વરૂપના વિષયમાં અન્યથા માને.
આત્માના
હમણાં જ એક પ્રશ્ન આપણે ત્યાં બહુ પેચીદો થયો હતો પ્રદેશોના વિષયમાં એની અંદરથી થોડી વાત કાઢવી છે. પ્રશ્ન ગમે તે હોય, કે ભાઈ, આત્માના બે પ્રદેશો કે એક પ્રદેશો ? દ્રવ્યના પ્રદેશો અને પર્યાયના પ્રદેશો ભિન્ન ભિન્નનો વિષય હતો (તેમાં) આશય ન સમજે, અને ખરેખર એવી રીતે બે પ્રદેશો સમજે, તો એ ગૃહીતમાં ચાલ્યો જાય છે. કેમકે વસ્તુના સ્વરૂપનું દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી જે નિરૂપણ છે, એમાં ભૂલ થઈ. શેમાં ભૂલ થઈ ? પદાર્થનું જે નિરૂપણ છે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવયુક્ત સ્વચતુષ્ટય જૈને કહેવામાં આવે છે, એ સ્વચતુષ્ટયમાં જ એની ભૂલ છે, કેમકે ક્ષેત્ર આવ્યું ને એમાં ? દ્રવ્ય-ક્ષેત્ર-(કાળ-ભાવ છે એમાં) ક્ષેત્રમાં અસંખ્ય પ્રદેશો આવ્યા. એ ત્યાં ગૃહીત મિથ્યાદર્શન થઈ ગયું. ઓલો વિષય પરમ અધ્યાત્મનો છે. જ્યાં ત્રિકાળીના પ્રદેશો ભિન્ન અને પર્યાયના પ્રદેશો ભિન્ન કહે છે, એ એકદમ પરમ અધ્યાત્મનો (વિષય છે). પરમ શુદ્ધ નિશ્ચયનયના વિષયમાં એ લઈ જાય છે. એ જે નિરૂપણ છે એને (જો) યથાયોગ્ય પ્રકારે અંગીકાર ન કરે, આવે, જે રીતે
અને એ પ્રયાસમાં ન જાય
અને એ રીતે એને ન લેવામાં
-