________________
-
-
-
- -
- -
-
૩૨
પિરમાગમસાર-૯૯] નથી અને સમોસરણ ખડું થાય છે, એવો વૈભવ તો ક્યાંય હોતો નથી. (છતાં ભગવાનને પરિગ્રહનો દોષ નથી. મુનિ નિર્વસ્ત્ર હોય છે, કોઈ ઉપસર્ગ કરીને ધાબળો અને શાલ કે ગમે તે કપડાં ફેંકે એટલે કાંઈ મુનિને દોષ નથી. વૃત્તિપૂર્વક ગ્રહણ કરે તો ચારિત્રનો દોષ છે. નહિતર તો કાંઈ દોષ લાગતો નથી,
એટલે કહે છે કે ચારિત્રદોષ ટાળવાનો તું પ્રયત્ન કરે છે તે કરતાં પહેલાં દર્શનશુદ્ધિ માટે પ્રયત્ન કર !” પહેલાં તું તારું શુદ્ધ શ્રદ્ધાન થાય એ પ્રયત્ન (કર) . એ દિશાનો તું પ્રયત્ન કર. અને એ દિશાનો પ્રયત્ન કરવા અર્થે એની આખી line દોરી છે. કષાયની મંદતાનો) . બહારના ત્યાગના કષાયની મંદતાનો તને વ્યામોહ છે કે આટલો કષાય મંદ થાય છે, પણ એથી વધારે મંદ કષાય તો દર્શનશુદ્ધિના પ્રયત્નની શરૂઆતમાં જ થઈ જાય છે ! એથી વધારે ઊંચા સ્તરનો ! જે કોઈ જીવ સ્વરૂપ - શ્રદ્ધાનમાં આવતાં પહેલાં સ્વરૂપની અંતર જિજ્ઞાસામાં, અપૂર્વ જિજ્ઞાસામાં આવે છે, એના બાહ્ય વિષયો પ્રત્યેના પરિણામ એટલા નીરસ થાય છે, શરૂઆતની જિજ્ઞાસાના કાળમાં એટલા નીરસ થાય છે, જિજ્ઞાસાને વશ એટલાં નીરસ થાય છે, કે એટલાં નીરસ તો ઉપરટપકે કરેલા બાહ્ય ત્યાગથી પણ થતાં નથી ! અને ઓલો (બાહ્ય ત્યાગનો) તો તને ખોટો વ્યામોહ છે કેમકે બહારનો ત્યાગ થયોને, એટલે એ દેખાવ અને આનંબરનો તને શોખ છે. પરિણામ સામે તારી દૃષ્ટિ નથી. જો પરિણામ ઉપર દૃષ્ટિ હોય તો પરિણામ તો આમાં (દર્શનશુદ્ધિમાં વધારે ઊંચા સ્તરના અથવા અત્યંત મંદ કષાયના થાય છે. એ રસ્તો તો તે છોડી દીધો અને બહારમાં ત્યાગ થયાનો દેખાવ થયો કે મેં આમ (કર્યું, હું આ નથી કરતો. આ છોડી દીધું છે. એ તને પસંદ છે. એ તને મોહ છે એ જાતનો, બીજું કાંઈ નથી. લાભ તો એમાં ઓછો છે અને આમાં લાભ વધારે છે. છતાં એક બહારમાં દેખાવનો - આડંબરનો પણ સ્થૂળ કે સૂક્ષ્મ પરિણામ ભજતો હોય, ત્યારે એ શુભ પરિણામની સાથે સાથે એક માયાનો એ પ્રકાર છે. શેનો પ્રકાર છે એ ? માયાનો એ પ્રકાર છે. અંદર માયા (છે) અને માયા એવો છૂપો ચોર છે, માન અને માયા, ખબર પડે નહિ. એવા વિષય છે. ' કહે છે કે, એને ટાળવાનો પ્રયત્ન કરે છે તે કરતાં પહેલા દર્શનશુદ્ધિ