SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ [પરમાગમસાર-૯૯] ન્યાય તો બધાંને પરિણામ કરે એ અનુસાર કુદરતી ઓછું - અદકું દેવાનો કોઈને અધિકાર ૨૬ જવાનું કેમ કહેવાય ? તોળાય છે. તોળવા - નહિ તોળવાનું, કે એવો કોઈ પ્રસંગ છે નહિ. ત્યારપછી એ જે જે ભવમાં મનુષ્ય થયાં છે, તે ભવમાં અસંખ્ય અબજ વરસ ગયા છે. (એ દરમ્યાન) એમણે જૈનધર્મના વિરોધનો ઝંડો લઈને મુખ્યપણે પ્રવૃત્તિ કરી છે. તીવ્ર ક્રોધના પરિણામ કર્યા છે અને નરકમાં અનેકવાર ગયા છે. એકવાર નહિ પણ અનેકવાર નરકમાં ગયા છે. અનેકવાર ક્રોધી, રાની, જંગલી પશુના ભવમાં ગયા છે. અજગરના ભવ ! વાઘના ભવ ! મગરમચ્છના ભવ ! હાથીના ભવ ! એ આ સિંહના ભવમાં ન૨કમાંથી જ આવે છે. ત્યાંથી સિંહના ભવમાં આવ્યા છે અને ત્યાં પણ હજી ક્રોધની પ્રકૃત્તિ (છે). સિંહ પણ ક્રોધી પ્રાણી છે. લગભગ બધાં જંગલી પ્રાણી ક્રોધી હોય છે. એ એનો કાળ ત્યાં બરાબર ભરાઈ ગયો છે. જ્યાં દેશના સાંભળે છે કે, અરે ! કોણ છો તું આ ? કુદરતી કેવો નિયમ છે કે એને ભાષા અને ભાવ અને બધો મેળ ખાય છે ! (સામે) ચારિણઋદ્ધિધારી મુનિ છે. નહીંતર તિર્યંચપ્રાણીને ઉપદેશનો પ્રસંગ ન હોય. દેશનાનો પ્રસંગ તિર્યંચને બનતો નથી. શાસ્ત્રો તો વાંચી શકતા નથી. મનુષ્યને એ સાંભળી અને સમજી શકતા નથી. છતાં એવો જ પ્રસંગ બને છે કે એની ભાષામાં એ સમજે એવો પ્રસંગ (બને છે). મુનિઓ ઋદ્ધિધારી હતાં ને ! (એમના નિમિત્તે) સમ્યક્દર્શન પ્રાપ્ત થાય છે. એ સમ્યક્દર્શનને પ્રાપ્ત થાય છે ત્યારે એટલી હદે આવે છે કે ભૂખ લાગી છે તોપણ મારેલા હરણને ખાવાની વૃત્તિ પછી ફરી જાય છે ! અને ત્યારથી સમાધિમ૨ણ પર્યંતના સર્વ કાળમાં ત્યાગ કરી નાખે છે. કેમકે સિંહ ખડ ખાય નહિ. સિંહ ખડ ખાય નહિ અને એને બીજા પ્રાણીને મારીને ખાવું નહિ, બે વાત એકસાથે ભેગી થઈ ગઈ. એટલે જ્યાં સુધી એ દેહ છૂટે ત્યાં સુધી એ આહારનો ત્યાગ કરે છે. ત્યારે તે આહારનો ત્યાગ કરે છે અને સીધા ત્યાંથી મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. પછી મનુષ્ય અને દેવ, મનુષ્ય અને દેવ (થાય છે). દસે ભવમાં દેવ અને મનુષ્ય સિવાય બીજી ગતિ થતી નથી. કહેવાનો મતલબ એ છે કે સહજ કષાયની મંદતા થાય અને બાહ્ય
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy