________________
કહાન રત્ન સરિતા છે એ કાગપક્ષી જેવી કઠોર લાગે છે)..
આ એક શૈલી તો જુઓ. ગુરુદેવની ! સ્થાપે છે જ્યાં ત્યાં ! “આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે. એની દષ્ટિપૂર્વક...' (એટલે કે) એની હસ્તિ જેની દૃષ્ટિમાં આવે છે, “એની દ્રષ્ટિપૂર્વક સંસારનો રસ જેને છૂટ્યો છે,... . બાહ્ય ઉઘાડ, બાહ્ય પદાર્થ, બાહ્ય સંયોગ ને બાહ્ય તત્ત્વનો રસ જેને છૂટ્યો છે, તે અધ્યાત્મરસનો રસિયો છે. એને અધ્યાત્મરસનો રસિયો કહેવામાં આવે છે. એ વિષય લીધો છે. પણ ક્યાંક તો એ રીતે પદ્ધતિબુદ્ધિનો જ વિષય છે.
૮૪૦ છે. જેની તેની પાસે ધર્મ સાંભળવો તે પાત્રતા નથી. સંભળાવનાર કો'ક મળવો જોઈએ, દોડો આપણે - એ પાત્રતાની નિશાની નથી. જેની . તેની પાસે ધર્મ સાંભળવો તે સાંભળાવનાર કરતાં સાંભળનારની પાત્રતા ઓછી. હલકી છે, એમ પોતાની હલકી યોગ્યતા બતાવે છે. ગમે તેને તું સાંભળવા જાય છે એમાં તારી યોગ્યતાની પ્રસિદ્ધિ થાય છે, ભાઈ ! કેમ (આમ કહ્યું)? એનું કારણ છે કે, એ એને અનુમોદન આપે છે - કે, તું બરાબર વક્તાપણે રહે હું તને સાંભળવા આવીશ, એ એને Direct અનુમોદન આપે છે. એટલે (એમ કહ્યું. “વક્તા કેવો છે તેના પ્રમાણમાં સાંભળનારની યોગ્યતા કેવી છે તે સાબિત થાય છે. ગુરુદેવે તો બહુ બહુ વાત ખોલી છે ને ! કેમકે તે શ્રોતા વક્તાની ઊંધી માન્યતા - શ્રદ્ધાને અનુમોદનારા છે.' બહુ ગંભીર વિષય છે! એમને એમ હાલે એવું નથી. ‘કરે-કરાવે અને અનુમોદે તે ત્રણેનું ફળ એક જ છે.” - બીજું ફળ છે નહિ.
એવી જ રીતે ૮૪૧માં પણ છે. “જો અધ્યાત્મરસ દ્વારા - આત્માના શાંતરસ દ્વારા . પોતાના સ્વભાવનું યથાર્થ અનુભવન ન થયું હોય તે વીતરાગ દિગંબર જૈનમાર્ગનાં રહસ્યને જાણતો નથી.’ અનુભવ વિના અનુભવના રહસ્યને જાણતો નથી. વીતરાગી સંતોએ કહેલાં મને ન જાણતો હોય તે માત્ર...પદ્ધતિ દ્વારા જ વક્તા થાય છે.' આ મોક્ષમાર્ગ પ્રકાશકના પ્રવચનો પરથી છે. એ રીતે પદ્ધતિ દ્વારા કોઈ વક્તા (વક્તવ્ય આપતા) હોય તો એ વક્તાને અહીંયા Pass કરતા નથી.
મુમુક્ષુ :- ૮૪૩ લ્યો !
પૂજ્ય ભાઈશ્રી - ધર્મબુદ્ધિવાન વક્તા ઉપદેશદાતા હોય તે જ પોતાનું ભલું કરે છે, અને બીજાને ભલું થવામાં નિમિત્ત બને છે. પણ જે પરંપરા