________________
કહાન રત્ન સરિતા effect કાંઈક ને કાંઈક એવી ઊભી થાય, એને એવો આરોપ આપી શકાય નહિ. (માટે) તમે અસત્નો દ્વેષ કરો છો . એ પ્રશ્ન રહેતો નથી.
(અહીં) કહે છે કે શુભરાગ કે જેણે હજારો રાણી છોડીને રાજપાટ છોડીને પંચમહાવતના શુભરાગમાં પ્રેમ કર્યો છે....” બીજું શું છે કે આમ ત્યાગ કરનાર હોય છે, એમાં ત્યાગ કરનાર સમ્યગ્દષ્ટિ હોય છે એની તો એ ત્યાગ પહેલાની જે સંગવાળી સ્થિતિ હોય છે, એના પરિવાર આદિની સાથે પણ એટલી સજ્જનતાવાળી હોય છે કે એક તો મમત્વવાળો જીવ હોય ને એમાં એને સજ્જનતા મળી એટલે એણે તો મમતા વધારી મૂકી હોય. એ મમતાના તીવરાગમાં જ્યારે એને એમ થાય કે અરે...! આ છોડે છે ! ત્યારે એને મૃત્યુ જેવું દુઃખ થાય છે. કેવું દુઃખ થાય એને ? મૃત્યુમાં જેમ સ્વજનનાં વિયોગનું દુઃખ થાય એવું સ્વજનનું દુઃખ એને થાય છે. પણ એમાં બીજો કોઈ ઉપાય નથી. જ્યાં પરિણામ ફરી જાય છે ને રાગથી રહિત પરિણામ થાય ત્યાં પછી એને રાગનો રંગ ચડાવી શકાતો નથી. આ પરિસ્થિતિ કુદરતી ઊભી થાય છે...
કહે છે કે એવો શુભરાગ છે (એટલે કે) પર પદાર્થના સંગમાંથી દૂર થવાનો ને અસંગપણે રહેવાનો જે શુભ રાગ છે અને બીજાં જીવોની (એટલે કે) કોઈને પણ . એકેન્દ્રિય પર્વતના જીવોને દુઃખી ન કરવાં માટે એની હિંસા ન થાય, એને દુઃખ ન થાય, તેથી મન-વચન-કાયાને સંયમિતપણે પ્રેવતાવવા અર્થે પંચમહાવ્રત, ૨૮ મૂળગુણના–શુભસગભાં આવે છે. એ શભરાગનો પણ પ્રેમ કરવા જેવો નથી, એમ કહેવું છે. એવા શુભ રાગનો પણ પ્રેમ કરવા જેવો નથી. જોકે આ શુભરાગ કરતાંય તે શુદ્ધાત્માના - અભેદ આત્માનો જે સૂક્ષ્મ વિકલ છે તેની કક્ષા ઊંચી છે. એની મંદતા ઘણી છે. આ તો મિથ્યાષ્ટિને પણ થાય છે. એની જાત (પંચમહાવ્રતાદિના વિકલ્પની જાત) કરતાં ઓલાની (અભેદ આત્માના વિકલ્પની જાત ઘણી ઊંચી છે. પણ લોકો એ ન સમજી શકે એટલે આ ચીજને સમજી શકે (માટે) સમર્થ દૃષ્ટાંત તરીકે બતાવવામાં આવે છે.
કહે છે કે એવો શુભરાગનો પ્રેમ (એટલે કે એવો જે રાગનો રાગ તે પણ આનંદસ્વરૂપને મારે છે, આનંદને ઉત્પન્ન થવા દેતો નથી. રાગ ગમે તેવો હોય (પણ) રાગનો રાગ કરવા જેવો નથી. સમ્યગ્દષ્ટિને રાગ થાય
--
-- *