________________
૨૨૨
પિરમાગમસાર-૨૫o] અનિષ્ટ કેટલું ને આ ઇષ્ટ કેટલું? એ તુલના થાય નહિ ત્યાં સુધી કોઈપણ પ્રકારે એનો પ્રયત્ન છે એ યોગ્ય સ્થાનમાં, યોગ્ય દિશા પકડે નહિ. આ પરિસ્થિતિ છે - આ વાસ્તવિક પરિસ્થિતિ છે.
તેથી એમ કહે છે કે મિથ્યાત્વનું પાપ સાત વ્યસનથી પણ અનંતગણું છે.” ઘણું મોટું છે એમ નહિ, અનંતગણું છે - એમ કહે છે. એક ગણું, બે ગણું, ડબલ છે, ચારગણું છે, દસ ગણું છે, સો ગણું છે, હજાર ગણું છે, એમ નહિ લાખ, કરોડ સંખ્યાની બહાર જાય છે, અસંખ્યાતથી પણ બહાર જાય છે. અનંતગણું છે. કેમકે અનંત...અનંત...અનંત...અનંત...અનંત... અનંતાનુબંધીના જે પરિણામ થાય છે અને અનંતાનુબંધીના જે બંધ થાય છે, એની ભયંકરતા એવી ભયંકર છે કે એનું જો ચલચિત્ર - આ સિનેમા દેખાડે છે ને ! એ દેખાડવામાં આવે તો સ્વપ્ન પણ કોઈ એને ઇચ્છે નહિ.
આ હોસ્પિટલમાં જાય (અને) બધાં વોર્ડમાં આંટો મારે તો ખબર પડે કે આ મનુષ્ય પ્રાણીને પણ અશાતાના પ્રકાર અને કેટલી (જાતની) વેદનાના પ્રકાર છે ! મોટી સારી હોસ્પિટલ બાંધી હોય એમાં આંટો મારે તો ખબર પડે એવું છે કે કેવી રીતે હાથ-પગ ભાંગે છે ને કેવાં કેવાં ઓપરેશન થાય છે ! જન્મ-મરણનાં દુઃખ તો એથી મોટા છે. આ તો એથી સામાન્ય છે. પણ જન્મ વખતનાં અને મરણ વખતનાં દુઃખ તો એનાથી ઘણાં છે. એ તો મનુષ્ય પ્રાણીના ! તિર્યંચોના દુઃખનો પાર નથી–તરસ લાગે ને પાણી ન મળે, ભૂખ લાગે ને આહાર ન મળે, (માત્ર) ન મળે એમ નહિ, મારણતાડન–છેદન-ભેદન અનેક પ્રકારે છુંદો બોલાઈ જાય, ચેપો બોલાઈ જાય એવી રીતે પ્રાણનો નાશ થાય ! આ કીડી–મકોડાં જુઓ ને ! હાલતાંચાલતાં પગ પડે, એની કેવી દશા થાય છે ! એ વગેરે પ્રકારે જોવે તો એ (મિથ્યાત્વને સ્વપ્ન પણ (ન સેવે).
મિથ્યાત્વના કારણે આ બધું ઊભું છે, આટલી જે પરંપરા છે એ મિથ્યાત્વના કારણે છે. મૂળ એનું છે એ મિથ્યાત્વ છે અને એ ગાંઠ જ્યાં સુધી ન છેદાય ત્યાં સુધી એમાંથી પુણ્ય-પાપનાં ફણગા ફૂટ્યા જ કરે છે. એ પુણ્ય-પાપનાં પરિણામને છેદવાનો ઉપાય મિથ્યાત્વનો અભાવ કરીને વીતરાગી ધર્મ પ્રગટ કરવો, એ એક જ ઉપાય છે અને પૂરા પ્રયત્નથી જેમ તે ધર્મ કરવા માટે જે જે પ્રકારે બોધ, ઉપદેશ, સૂચના, માર્ગદર્શન જે