________________
૨૧૧
કહાન રત્ન સરિતા પરમાણુઓ પરિણમે છે. એમાં આ આત્માને હર ઘડીએ શું લાભ-નુકસાન છે ? છે કાંઈ ? પ્રતિસમય પરિણમ્યા જ કરે છે. (એનાથી) કોઈ લાભ– નુકસાન નથી. તો તેં જે માનેલા સંયોગો છે, જેને ઈષ્ટ સંયોગો કહે છે, એનું છૂટવાપણું થયું–ત્યાગ થયો (તો) શું ફેર પડ્યો ? તને શું નુકસાન ગયું ? કે તને કાંઈ નુકસાન નથી જતું. આમ પોતામાં પોતાનું અવલોકન કરીને જુદાંપણું જાણવું. રાગ અને પરદ્રવ્યથી જુદાંપણું જાણવું, એનું જુદાંપણું એટલે પરપણું જાણવું. અને જ્ઞાનાદિ ભાવ અને સ્વભાવમાં સ્વપણું જાણવું. એમ ભેદજ્ઞાન કરવાની આ વિધિ છે, રીત છે. ભેદજ્ઞાન કેમ કરવું ? કે, આ પ્રકારે કરવું.
(સમયસારની) ૧૭-૧૮ ગાથામાં આવે છે ને ? અનેક ભેદભાવોનું મિશ્રિતપણું હોવા છતાં જે ભેદજ્ઞાનમાં પ્રવીણ છે... એમ કરીને વાત લીધી છે. એનો અર્થ શું ? કે, ભેદજ્ઞાનમાં જ્ઞાન જુદું છે એમ જાણી, જાણે છે એટલું જ નહિ, તે જ્ઞાનમાં સ્વપણું વેદાય છે–જ્ઞાન સ્વપણે વેદાય છે. પર, પરપણે વેદાતા જ્ઞાન સ્વપણે વેદાય છે. એવો જે પ્રકાર છે એને ભેદજ્ઞાનનો પ્રકાર કહેવામાં આવે છે.
કહે છે કે, એ પ્રકારે સંયોગોનું લક્ષ છૂટી જાય (એટલે કે, જ્યારે સંયોગોથી જુદાંપણું ભાસે ત્યારે સંયોગોનું લક્ષ છૂટી જાય. ઉપરાંત કષાયની તીવ્રતા– મંદતાનું લક્ષ પણ છૂટી જાય, એમ. જણાય જુદી વાત છે અને લક્ષપૂર્વક જણાય એ બીજી વાત છે. અહીંયા ફેર એ પાડે છે. “....કષાય મંદ હોય કે તીવ્ર હોય તેનું પણ લક્ષ છૂટી જાય. તીવ્ર–મંદ કષાયનું જ્ઞાન થાય, તીવ્ર–મંદ કષાય જણાય ખરા કે, આ તીવ્ર થયો અને મંદ થયો, પણ એનું લક્ષ ન રહે. લક્ષ રહેવું બીજી વાત છે. રસ્તે ચાલતાં નિર્ધારીત સ્થળે પહોંચવા પહેલાં Traffic જણાય ખરો પણ લક્ષ પહોંચવાનું છે. લક્ષ Traffic ઉપર નથી. (આમ) જણાવું એક વાત છે અને લક્ષપૂર્વક જણાવું તે બીજી વાત
ક
t
-
**
*
*
* *
એમ કષાય મંદ હોય કે તીવ્ર હોય તેનું પણ લક્ષ છૂટી જાય. ત્યારે કષાયના વિષય કેવા છે તેનું પણ લક્ષ છૂટી જાય. “અને તારો પર્યાય ચૈતન્ય વસ્તુને પકડીને પરિણમે.. એટલે સ્વરૂપમાં સ્વપણું સ્થાપીને પરિણમે. શ્રદ્ધાએ કરીને સ્વરૂપમાં સ્વપણું સ્થાપીને પરિણમે, એણે ચૈતન્યવસ્તુને પકડી