________________
૧૯૭
કહાન રત્ન સરિતા આવાં ભેદજ્ઞાન નો વિષય નથી. વિજ્ઞાનમાં તો બધે ભૌતિક વિજ્ઞાન જ ચાલે છે, કયાંય આત્માનું વિજ્ઞાન તો છે જ નહિ. ભૌતિક વિજ્ઞાનમાં જ અનેક પ્રકારનું સંશોધન અને વિચારણાઓ ચાલે છે. પણ ધર્મનું ક્ષેત્ર છે અને અનેક ધર્મ સંપ્રદાયો વર્તમાનમાં વિદ્યમાન હોવા છતાં કોઈ ધર્મ સંપ્રદાયમાં જડ-ચેતન્યની ભિન્નતાના વિષયનું નિરૂપણ, ઉપદેશ અને બોધ જોવામાં આવતો નથી. અહીંથી જૈનદર્શન તાત્ત્વિક રીતે જુદું પડે છે. છતાં પણ જૈનદર્શનમાં પ્રવેશ કરીને કોઈ દેહની ક્રિયાને આત્માની ક્રિયા (માનીને) ત્યાગ અને સંયમના બહાને પણ દઢ કરે તો એ જૈનદર્શનના મૂળમાં ઘા પડે છે. મૂળ જે તત્ત્વનું સ્થાપન કરવું છે એનું ઉત્થાપન ત્યાં થઈ જાય
ઉપવાસ કર્યો છે અથવા તો આ પૂજા મેં કરી, પૂજાની ક્રિયા મેં કરી, સ્વાધ્યાયમાં આ પ્રકારે મન, વચન, કાયાની ક્રિયા મેં કરી, દાન દેવાની અને બીજાની દયા પાળવાની ક્રિયા મેં કરી’ (એ રીતે) અનેક પ્રકારના વ્રતસંયમમાં અને શુભ ભાવના શુભ યોગમાં ને શુભ ઉપયોગમાં (શરીરની ક્રિયા મેં કરી એમ માનીને પ્રવર્તે તો તે દહાત્મબુદ્ધિને દઢ કરે છે).
પ્રશ્ન :- એ ક્રિયા કોણે કરી ?
સમાધાન :- જડના પરિણામ જડ કરે છે અને ચૈતન્યના પરિણામ ચૈતન્ય કરે છે. જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહિ, છોડી આપ સ્વભાવ.” છે કે નહિ ? એમાં કોણે કરી એ ક્યાં પ્રશ્ન છે ! કોઈપણ ક્રિયાના પરિણામનો કર્તા તે પદાર્થ છે અને બીજો પદાર્થ નથી. એ તો ચોખે ચોખ્ખી વાત સમજી શકાય એવી છે. “એક પરિણામ કે ન કર્તા દરવ દોઈ બનારસીદાસજી એ આ “નાટક સમયસારમાં ગાયું. એક પરિણામકે ન કર્તા દરવ દોઈ' (એટલે બે દ્રવ્ય થઈને એક પરિણામ કરતું નથી. - એક પરિણામને બે દ્રવ્ય ભેગા થઈને કરે નહિ અને એક દ્રવ્ય બે પદાર્થના પરિણામને કરે નહિ. બે દ્રવ્ય સાથે મળીને એક પદાર્થના પરિણામને કરે, એવું કદી બનતું નથી કે, આ બે ભેગા થાય તો એક કાર્ય થાય ને નહિતર કદી ન થાય. જડ અને ચેતન સાથે મળે તો કાર્ય થાય ને નહિતર ન થાય—એવું નથી. જડના પરિણામ જડ કરે છે, ચેતનના પરિણામ ચેતન