________________
૧૮૫
*
* - -
-
-
-
કહાન રત્ન સરિતા શરીર છોડવું નથી. તોપણ કહે છે કે, શરીર તો તને છોડશે જ.
આ તો રોજ વંચાય છે એના ક્રમમાં આ વિષય આવી ગયો છે. વિષય તો બધો પરમાર્થનો જ છે). આ સંગ્રહ જ એવો છે ! કે એક-એક વિષય ગુરુદેવશ્રીનાં શ્રીમુખથી નીકળેલાં વચનો છે અને ઘણી અમૂલ્ય વાતો એ કરતાં ગયા છે !!
કહે છે કે, દેહ તો તને છોડશે જ પણ તું દેહને (દષ્ટિમાં) છોડ...' અત્યારે નહિ છૂટે. આપઘાત કરવા માગીશ તોપણ આયુષ્ય પૂરું નહિ થાય તો દેહ છૂટશે નહિ. એવાં પ્રસંગો બન્યાં છે, ભાઈ ! કે, માણસ ઝેર ખાય. આ માકડ મારવાની દવા પી લે છે ને ? જો આયુષ્ય બળ હોય એટલે એને આયુષ્ય હોય તો હોજરી એવી તાકાતવાળી હોય કે Vomit (ઊલટી) કરાવી નાખે ! ઊલટી થઈ જાય સીધી ! અંદરથી ઉલાળીને બહાર ફેંકે. ઝેરને ઊલાળીને બહાર ફેંકી દે. (એ) મરે નહિ ! થોડી અશાતા વેદે, એ તો એને અશાતા વેદવાનો તે કાળ છે એટલે જ ઝેર પીધું છે. પણ એમ મૃત્યુ ન થાય. એટલે દેહ રાખ્યો રહેતો નથી, છોડ્યો છૂટતો નથી. દરેક સંયોગનું એવું છે. આ તો શરીર સંયોગની વાત છે. પણ તમામ સંયોગો લાવ્યાં લવાતા નથી અને કાલ્યા જાતા નથી. આમ છે.
શ્રીમદ્ રાજચંદ્રજી એમનાં જીવન કાળ દરમ્યાન એમ લખે છે. નાની ઉમરથી એમનો આ વિષયની અંદર પ્રવેશ હતો. આત્માના તત્ત્વજ્ઞાનના વિષયમાં એમનો પ્રવેશ હતો. સુખ શું અને દુઃખ શું? એનું એમને ‘તાત્વિક જ્ઞાન' હતું. ત્યારે પોતે) એમ વિચારે છે કે, સુખ માટે તો મારે કોઈ સંયોગો વધારવાની જરૂર નથી. મને આત્મામાંથી આત્મિક શાંતિ અને આત્મિક સુખ તો મળે જ છે અને મારા આત્માની એ કેળવણી મેં કરેલી છે અને તેથી કેરીને બીજી ઉપાધિ હોરીને, સંયોગ વધારીને એ સુખ મેળવવાની મારે કોઈ જરૂરિયાત નથી. તેથી એ બાજુમાં એમનો એવો કોઈ સક્રિય પ્રયત્ન નહોતો. પૂર્વકર્મના ઉદયને લઈને એમનાં કાર્યો નિષ્ક્રિયપણે ચાલતાં હતાં, ઉદાસભાવે ચાલતાં હતાં અને સંયોગમાં વેપાર વગેરેની વૃદ્ધિ થતી હતી ને પૈસા વધતાં જતાં હતાં. Foriegn (પરદેશ) સુધીનો વેપાર એમની પેઢી એ જમાનામાં કરતી હતી. સો વર્ષ પહેલાં...! તે દિ આટલાં સાધનો નહોતા, (પણ) મુંબઈમાં પરદેશ સાથેનો એમનો વેપાર હતો. ત્યારે એમણે પોતાના