________________
કહાન રત્ન સરિતા
એ વળગે છે. એ દેવની યોની છે, હલકા દેવની યોની છે. આપણે જેમ ચાંડાલ એવા હોય છે ને ! નીચ જાતિના મનુષ્ય જાતિના - નીચામાં નીચી જાતિના વ્યંતરદેવની આયુષ્ય હોય છે એટલે બધાં જાણતા હોય, ૨૦૨૫ પેઢી સુધીનું જાણતાં હોય (એટલે) એવો બધો ભ્રમ કરે. પણ એ શાસ્ત્રમાંથી વાત બહાર આવી એટલે બીકના માર્યા લોકોને બીજી રીતે થઈ ગઈ. બાકી ખરેખર એવું કાંઈ બની શકતું નથી. કોઈ આત્મા કોઈ આત્માને વળગી શકે છે કે પ્રવેશ કરી શકે છે (એવું બની શકતું નથી). કોઈના દેહમાં કે કોઈના આત્મામાં કોઈ બીજો આત્મા પ્રવેશ કરી શકે છે - એ વસ્તુના સ્વરૂપમાં નથી. પણ અનાદિનો દેહાત્મ બુદ્ધિવાળો જીવ ડરપોક છે, ભયાન્વીત છે. અંધારું ભાળે ત્યાં બીવે ! પછી આભાસ થાય એમાં બીવે એમાં શું નવાઈ છે ? પણ સરખાઈનું અંધારું હોય ને એકાંત હોય - એકલતા હોય, વસ્તી ન હોય તો પણ માણસ બીવે છે, તો પછી બીજા (પ્રસંગમાં ન) બીવાનો પ્રશ્ન ક્યાં રહે છે ? પછી તો એને (બધી) કલ્પના થાય.
અહીંયા મનુષ્યમાં ચમાર, હોય છે. એમ એ નીચ એ જાત છે. એના મોટા
પ્રશ્ન :- સ્વરૂપ નિર્ણય માટેનો સૂક્ષ્મ અંતરજલ્પ હું આવો છું, હું આવો છું, મારું ત્રિકાળી સ્વરૂપ આવું છે એ વિકલ્પ પણ ડાકણ જેવો
છે ?
·
-
સમાધાન :- તો એને વળગવું ? જો એ ડાકણ ન હોય તો એને વળગવું છે ? શું કરવું છે ? નિર્ણય કરવા માટે નહિ પણ નિર્ણય થઈ ગયા પછી અનુભવ થયા પહેલાં અંતરજ૫ વર્તતો હોય, આ તો એની વાત છે. જીવને નિર્ણય પણ થઈ ગયો હોય ભલે અનુભવ ન થયો હોય પછી એને પોતાના શુદ્ધાત્મસ્વભાવનું અંતર ઘોલન ચાલતું હોય અને એમાં સૂક્ષ્મ અંત૨જલ્પ હોય તો એને પણ છોડે છે ત્યારે શુદ્ધોપયોગમાં આવે છે ને ? તો એને ક્યાં વળગવાનો સવાલ છે ?
મૂળ તો રાગ ને જ્ઞાનના ભેદજ્ઞાનમાં જોવું છે શું ? કે રાગ મલિન છે. વિષ્ટાનો થોડોક નાનો ભાગ છે, એટલે સારો છે, એમ છે ? ઘણી વિષ્ટા તો ખરાબ છે, સંડાસનો ડબો તો ખરાબ છે પણ હવે થોડોક હોય તો વાંધો નહિ, ચડાવો માથે ! એમ કોઈ ચડાવે ? એને માથે ચડાવાય નહિ. એમ સૂક્ષ્મમાં સૂક્ષ્મ રાગ હોય તો(પણ) એને માથે ચડાવવાનો પ્રશ્ન