________________
કહાન રત્ન સરિતા -
૧૭૧ વિવેક છે. વાણી સાંભળવી એ તો એની પાસે અવિવેક છે ! વિવેક નથી પણ એ અવિવેક છે. કેમકે પર સન્મુખ રહ્યો, સ્વ-સન્મુખ ન થયો, તો આજ્ઞા માની નહિ . એમ થઈ ગયું. થોડું અટપટું લાગે જરા !
મુમુક્ષુ - સીધું છે. પૂજ્ય ભાઈશ્રી - એકદમ સીધું છે. સીધું છે શું ? એકદમ સીધું છે. અંતર્મુખ થવું એમાં આડું શું? એમાં તો કાંઈ બીજી આડશ જ નથી. એકલું અંતર્મુખ થવું એ તો એકાંતે સત્યનું આરાધન છે, સત્ય સ્વરૂપનું આરાધન છે. એ એકાંતે વીતરાગ માર્ગ છે. એ સિવાય બીજો કોઈ માર્ગ છે નહિ. . (અહીંયા કહે છે). "શુભરાગની મીઠાશ જીવને મારી નાખે છે અને પરસત્તાવલંબી જ્ઞાનની મીઠાશ પણ જીવને મારી નાખે છે.” આ વિષય જ્યારે આપણે વિશેષપણે જ્ઞાનની પ્રક્રિયામાં ઊભા છીએ ત્યારે વિશેષપણે વિચારવાં યોગ્ય છે. આપણે ત્યાં જે વિષય ચાલે છે તે સ્વાધ્યાયની પ્રક્રિયાનો વિષય વિશેષ ચાલે છે. અને એમાં સાંભળવું અને વાંચવું - ચર્ચા આદિ કરવી એમ બે-ત્રણ પ્રકારે એની પ્રવૃત્તિ ચાલે છે, પણ એની અંદર આ વાત ધ્યાન ખેંચવા જેવી છે કે એ સર્વ પ્રવૃત્તિનો ઉદય ચાલતો હોય તો પણ લક્ષમાંથી એ વાત ખસવી ન જોઈએ કે આ પરસત્તાવલંબી જ્ઞાન છે એની કિંમત નથી. એની કિંમત આપવા જેવી નથી અને એમાં કાંઈ ઊઘાડનો વિકાસ થાય તો એની મીઠાશ વેદવા જેવી નથી.
મુમુક્ષુ :- બહુ આકરી વાત છે !
પૂજ્ય ભાઈશ્રી :- આકરી તો ભાઈ ! જ્યાં સુધી એને ન ઘૂટે ત્યાં સુધી (લાગે). એકડો પણ આકરો હતો ! ક્યાં સુધી ? કે જ્યાં સુધી ઘૂંટતો હોતો ત્યાં સુધી. હતો કે નહિ આકરો ? અત્યારે કોઈ કહે છે કે એકડો આકરો છે, તેમને શીખવો ? કે નહિ.
પ્રશ્ન :- આ જે પરસત્તાવલંબી જ્ઞાન કીધું ને, એ ક્યુ. કહેવાય ?
સમાધાન - આ બધું શાસ્ત્રજ્ઞાન છે, શાસ્ત્રના અવલંબને જ્ઞાનનો જેટલો ઉઘાડ ને વિકાસ થાય છે... એ બધું પરસત્તાવલંબી જ્ઞાન છે. મિથ્યાષ્ટિ જીવને એની મીઠાશ આવે છે, એ એને મારી નાખે છે.
સમ્યગ્દષ્ટિ જીવને અંગ-પૂર્વનો ઉઘાડ થાય, ગણધરદેવને એટલો બધો ઉઘાડ હોય કે અંતર્મુહૂર્તમાં બાર અંગની રચના કરે ! એમાં ચારે અનુયોગ
ઉપર અને મીઠાશ
-પૂર્વનો ઉષા
ના કરે !