________________
કહાન રત્ન સરિતા
કરને ! કે આ શું ?
જેમ દેહ અને આત્મા ભિન્ન છે, દેહ અને આત્મા ભિન્ન છે... દેહને આત્મા ભિન્ન છે... એવો વિચાર ખૂબ કરે, ખૂબ કરે, શાતામાં હોય ત્યારે હોં...! અશાતા ઉત્પન્ન થાય ત્યારે પાછો એ વિચાર છૂટી જાય ને હાયહોય... હાય-હોય... કરે ત્યારે એને જ્ઞાની એમ કહે છે કે તારો દેહ અને આત્મા ભિન્ન છે, એ ક્યાં ગયું ? તે તો બહુ વિચાર કર્યા હતાં !
એમ અહીંયા એમ કહે છે કે કાંઈ ન જોઈએ, આ જગતમાંથી કાંઈ ન જોઈએ, મારે તો એક પરિપૂર્ણ શુદ્ધ મોક્ષ - પરિપૂર્ણ શુદ્ધિરૂપ મોક્ષ જ જોઈએ તો પછી (બીજું) જોઈએ ત્યારે શું એ વિચાર ત્યારે કરવાનો છે. પછી કરે કે ન કરે એનો સવાલ નથી. (જ્યારે) કરવાનો છે ત્યારે
-
૧૫૭
ન કરે અને અમસ્તો-અમસ્તો વિકલ્પ કરે એનો અર્થ શું છે ? એનો કોઈ
.
અર્થ નથી. કામ કરવાની તક હોય ત્યારે તો ઊંધું મારે, ઊંધું કામ કરે અને કામ ન કરવાનું હોય ત્યારે એ કામના વલવલાટ કરે ! એનો શું અર્થ છે ? એનો કોઈ અર્થ નથી. એમ છે.
પ્રશ્ન :- આગળથી માન્યતા દૃઢ કરી હોય તો સમયે કામ લાગે ને ? સમાધાન :- પણ સમયે કામ લાગે તો દૃઢ કરેલી છે, સમયે કામ ન લાગે એ દૃઢતા નથી - એ ગોખણપટ્ટી છે, એ પોપટીયું જ્ઞાન છે, એ શુષ્ક જ્ઞાન છે. એમ છે ખરેખર તો. એનું લક્ષણ એ છે.
જ્ઞાન તો તેને કહીએ કે જે વખતે જરૂર પડે હાજર થાય - એનું નામ જ્ઞાન છે. મૂડી હોય એ વાપરે, મૂડી ન હોય એ વાપરે ક્યાંથી ? પાંચપાંચ પૈસામાં સો-સો રૂપિયાની નોટ મળે છે, આંબાચોકમાં લારી ઊભી રહે છે, એમાં એવી પાંચ પૈસામાં સો રૂપિયાની નોટ આપે. એમાં એકડો ને બે મીંડાં લખ્યાં હોય ને મહોરની બધી નકલ કરી હોય, પણ છોકરાઓને રમવા માટેની હોય છે. એને સાચી માની લ્યે કે આ મારી મૂડી છે ! ખરીદી લ્યો ૧૦-૨૦ રૂપિયાની થોકડી ! (એ) વાપરવાના કામમાં નહિ આવે. એ પી વાપરવાના કામમાં નહિ આવે. કેમકે હકીકત એ છે જ નહિ. એ મૂડી જ નથી.
એમ એ રીતે વિચાર, વિકલ્પ અને ગોખણપટ્ટીથી માન્યું હોય કે હું દૃઢ કરું છું અને દઢ કરીશ. (તો કહે છે કે) એ મૂડી નહિ થાય અને