________________
રાત"
૧૫૪
પિરમાગમસાર-૨૩૮] ત્યાં અગ્નિ છે.' એમ રાગ છે, દુઃખ છે એમ કહેનારને એમ કહે છે કે, આત્મા છે, કોને રાગ છે ? કોને દુઃખ છે ? એ તો ધુમાડો છે . રાગવૈષનો ધુમાડો છે. એમાં ભગવાન આત્મા - જ્ઞાનસ્વભાવી આત્મા જ્ઞાન લક્ષણથી લક્ષિત થતો આત્મા ઢંકાઈ ગયેલો છે. ઢંકાઈ ગયેલો પણ છે' એમ વાત છે. ત્યાં એ સત્ની અસ્તિ છે, એટલે એ ઢાંકણ છે. એ ઢાંકણ પર્યાયમાં ઊભા થયેલા આવરણનું એ ઢાંકણ છે. એ આવરણ એ છે કે . પરરસ છે એ આવરણ છે. પર પદાર્થમાં સુખનો રસ છે, પર પદાર્થની અનુકૂળતાઓનો રસ છે, પર પદાર્થની કલ્પનાઓનો રસ છે, એ પુદ્ગલરસ હોવાથી જ્ઞાનને ઢાંકે છે. જોવા માટે એને આંધળું કરે છે અને પ્રસિદ્ધત્વ છે એને પણ એ ઢાંકે છે. એ આંધળું કરે છે એનો અર્થ કે ઢાંકે છે. એ તો જે છે એ છે. એ તો ખુલ્લું જ છે. એના વેદનમાં એ ખુલ્લું છે.
એટલે સ્વરૂપ પ્રાપ્તિની અપૂર્વ ભાવનામાં આવતાં એને, દેવ-ગુરુ-શાસ્ત્ર અને પુરુષોનાં વચનનું કેન્દ્ર સ્થાન જે “આત્મા', જે એ પ્રત્યેક વચનમાં બતાવી રહ્યાં છે અને કહી રહ્યાં છે, એવો આત્મા અને લક્ષમાં આવવાની પરિસ્થિતિ ઉત્પન્ન થાય. વેદનને પકડવાની પરિસ્થિતિ ઊભી થાય. નહિતર પકડાય એવું નથી એ વાત સાચી છે. વેદનથી પકડાય (અને) વેદનથી લક્ષગત થાય, પણ વેદન નથી પકડાતું એનું શું કરવું ? એ પ્રશ્ન એના સ્થાને બરાબર
છે.
જેને જોવું છે અને એ સમસ્યા ઊભી થાય એવું છે. પણ એ વેદન નથી પકડાતું એ એમ સ્પષ્ટ કરે છે કે એ સંબંધીની જે ભાવનામાં આવવું જોઈએ અને જે હળવાશ જ્ઞાનમાં આવવી જોઈએ, જે ભૂમિકાની સ્વચ્છતા થવી જોઈએ . જ્ઞાનની ભૂમિ સ્વચ્છ થવી જોઈએ, એ ભૂમિ સ્વચ્છ ભાવનાથી થઈ નથી. એમ બતાવે છે. * ઓ એક હકીકત છે, (એક) પરિસ્થિતિ છે. જીવ સ્વીકારે ન સ્વીકારે પણ આ એક નક્કર હકીકત છે. એને જો એમ ખ્યાલ આવે કે આ વગરનું બધું થોથે–થોથાં છે, જેટલું કરીએ તેટલું થોથાં છે, ગમે એટલી સમજણ હોય ને સમજણનું અભિમાન હોય તો એ થોથું છે, નકામું છે અથવા દુર્ગુણનું કારણ થવામાં નિમિત્ત થઈ પડે એવું છે . એવું ગંભીર સમજીને અંતર સંશોધનમાં વળે, ભાવનામાં આવે તો બહુ મોટી વાત છે.