SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુતત્ત્વઃ દેવતત્વના પછી બીજું શ્રદ્ધેય તત્ત્વ તે ગુરુ છે. પ્રત્યેક સમ્યક્ત્વી સમ્યક્ત્વ ગ્રહણના સમયે એ જ પ્રતિજ્ઞા કરે છે કે “મુસાદુળો ગુરુનો’” અર્થાત સુસાધુ મારા ગુરુ છે અને થાય. આવશ્યક સૂત્રમાં એવા ગુરુના છત્રીસ ગુણો બતાવ્યા છે, તે આ પ્રમાણે છે. " पंचिदियसंवरणो तह नवविह बंभचेर - गुत्तिधरो । चविहकसायमुको इअ अट्ठारसगुणेर्हि संजुत्तो ॥ पंचमहव्वयजुत्तो पंचविहायार पालणसमत्थो । पंचसमिओ तिगुत्तो छत्तीस गुणो गुरु मज्झ ॥" જૈન તત્ત્વ પ્રકાશ; ગાથા ૩ (વિષય) (પાનું ૯૦, લેખકઃ આચાર્ય અમુલખરૂષી, પ્રકાશકઃ લક્ષ્મી પુસ્તક ભંડાર, (ગાંધીમાર્ગ) અમદાવાદ, (ગુજરાત) વર્ષ અજાણ) - પાંચ ઈન્દ્રિયોના વિષયોને વશમાં કરવાવાળા, નવ વાડ બ્રહ્મચર્ય પાળનારા, ચાર પ્રકારના કષાયોથી મુક્ત, આ ૧૮ ગુણોથી યુક્ત તથા પંચમહાવ્રતના પાળનારા, જ્ઞાનાદિ પંચાચારપાલનમાં સમર્થ, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત, આમ આ ૩૬ ગુણોવાળા સાધુ તે મારા ગુરુ છે. આચાર્ય હેમચન્દ્રજીએ યોગશાસ્ત્રમાં ગુરુનાં લક્ષણ આ પ્રમાણે બતાવ્યા છે. "महाव्रतधराधीरा भैक्षमात्रोपजीविनः 11 सामायिकस्था धर्मोपदेशका गुरवो मताः' - યોગશાસ્ત્ર; ગાથા ૨.૮ (પાનું ૨૨, લેખકઃ આચાર્ય હેમચંદ્રજી, પ્રકાશકઃ મહાવીર જૈન વિદ્યાલય, (ગોવાલિયા ટેંક રોડ) મુંબઈ, વર્ષ ૧૯૪૯) અહિંસા આદિ ૫ મહાવ્રતોના ધારક, પરિસહ કે ઉપસર્ગ આવવાથી પણ વ્યાકુળ ન થનારા, ભિક્ષાથી જ જીવનનિર્વાહ કરનારા, સદા સામાયિક-સમભાવમાં રહેનારા અને સદ્ધર્મનો ઉપદેશ આપનારા જ ગુરુ કહેવાય છે. સાચા સાધુ સંયમને પાળનારા, આવશ્યક ઉપકરણો સિવાય પોતાની પાસે બીજો કોઈ પરિગ્રહ ન રાખનારા, રાત્રિભોજન કરે નહીં, સદાય પગપાળાથી વિહાર કરનારા, સ્વયં પોતે ગૃહસ્થના ઘરેથી ભિક્ષા લાવે, ભિક્ષાચરી, નિવાસ, ભોજન, વિહાર આદિ પ્રત્યેક ચર્ચામાં વિવેક અને સાવધાની રાખનારા હોય છે. ૫૪ સમકિત
SR No.007192
Book TitleSamkit Shraddha Kriya Moksh
Original Sutra AuthorN/A
Author
PublisherHindi Granth Karyalay
Publication Year2015
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy