________________
૫૦૯
અનુભવ સંજીવની ચરણનો ઇચ્છુક છે, એક નિષ્ઠાથી તેમની આજ્ઞા શીરોધાર્ય જેને છે. તે અવશ્ય વર્તમાન પાત્ર
(૨) સ્વરૂપ ચિંતવન – સ્વરૂપ વિચારણા થવા છતાં અનુભવના અભાવમાં ખટક / અસંતોષ રહ્યા કરે.
(૩) અનેક પ્રકારના મોહયુક્ત પરિણામથી મુંઝવણ અનુભવતા. (૪) ગુણથી ઉત્પન્ન થતાં સુખની રુચિવાળો. (૫) ઉદયભાવોમાં જોર ઘટી ગયું હોય – ક્યાંય ગમે નહિ. (૬) સમજણમાં આવે તેનો શીધ્ર પ્રયોગ કરનારા (૭) દર્શનમોહની મંદતાવાળો.
શ્રા. વ. ૧૨ (૮) શાસ્ત્રનો ક્ષયોપશમ, સહિત ઉચ્ચ વહેવારના પરિણામ થવા છતાં તેના પ્રત્યે ઉપેક્ષાભાવ – અરસ પરિણામે પરિણમનાર - તેમાં સંતુષ્ટ ન થાય.
(૯) ઇન્દ્રિયજ્ઞાન અને જગતની મોટાઈ વાળા પ્રસંગો અને વસ્તુનો મહિમા-રુચિ ન આવે. (૧૦) સ્વભાવ સાંભળતાં રુચિમાં પોષણ થાય-વૃદ્ધિ થાય. (૧૧) સૂક્ષ્મ અંતર વિચારણા પૂર્વક ભેદજ્ઞાનનો પ્રયત્નવાન. (૧૨) પદાર્થનો યથાર્થ નિર્ણય કરવાની ભૂમિકાવાળો. (૧૩) ઉપકારી પુરુષ પ્રતિ વિનય–ભક્તિની ઓછપના ભાવ ન હોય તેવો.
બી. શ્રા. સુદ – ૯ (૧) આત્માને અહિતરૂપ પરિણામો થતાં ગભરાટ થઈ જવો. (૧૫) સમજણમાં અયથાર્થતા ઉત્પન્ન ન થાય તેવા વલણવાળો.
(૧૬) પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત વિષયની વહેંચણી કરનાર અને તેના પરિણામે અપ્રયોજનભૂત પ્રત્યે ઉદાસ થનાર • તેમજ પ્રયોજનભૂત વિષયના ઊંડાણમાં જવા – વળગવાની તત્પરતાવાળો.
(૧૭) પ્રતિકૂળતા સમયે જીવના પરિણામ બગાડવાને બદલે પુરુષાર્થ પ્રત્યે વળનાર / આત્મહિતમાં સાવધાન થનાર.
(૧૮) પાત્રતાનો આંક - જીવને નિજહિતની ગરજ કેટલી છે . તેના ઉપર આધારીત છે. (૧૯) ભવભયથી ડરનારો. (૨૦) આત્મલક્ષી – આત્મામય જીવન–પરિણમનવાળો.
(૨૦૫O)