________________
પત્રક-૫૮૩.
૬૩ જણાય છે અને છે પણ તેમ જ. પ્રજાનું સુખ એ રાજાનો વ્યાપાર. તે દિ ‘સ્વીટ્ઝરલેન્ડમાં પૈસા નહિ મોકલાતા હોય. એવું છે. આપણા એક મુમુક્ષ) લઈ આવ્યા હતા. પછી ઝેરોક્ષ નકલ કરાવી.
લેખનશક્તિ અતિ ઉગ્ર હતીઆજે શું લખવું તે સૂઝતાં સૂઝતાં દિવસના દિવસ વ્યતીત થઈ જાય છે;” લખવાનો પ્રારંભ કરતા કરતા દિવસો નીકળી જાય છે. ઓલું ફટાફટ લખવાની ધારા ચાલતી હતી. અત્યારે લખવા બેસે તો દિવસોના દિવસો સુધી આંકડા મંડાતા નથી. “અને પછી પણ જે કંઈ લખાય છે, તે ઇચ્છેલું અથવા યોગ્ય વ્યવસ્થાવાળું લખાતુંનથી; અર્થાત્ એનો અર્થ શું?
એક આત્મપરિણામ સિવાય સર્વ બીજાં પરિણામને વિષે ઉદાસીનપણું વર્તે છે;” અત્યંત ઉદાસીનપણું વર્તે છે એમ કહે છે. અને જે કંઈ કરાય છે તે જોવા જોઈએ તેવા ભાનના સોમા અંશથી પણ નથી થતું. જેભાન રાખીને લખવું જોઈએ એનો સોમો ભાગ ભાનમાં રહેતો નથી. એક ટકાનું ભાન રહેતું નથી અને બહારમાં પ્રવૃત્તિ થાય છે, એમ કહે છે. પછી એ ગૃહસ્થીમાં) કેવી રીતે રહે? આ મુનિ કેમ થાય છે? કે એના વ્યવહારમાં એનું ભાન છૂટી જાય છે પછી મુની થાય છે. હજી મુનિ નથી થયા. તો મુનિ કોણ થાય છે? કે જે વ્યવહાર કરતાં કરતાં જેને વ્યવહારનું ભાન છૂટી જાય. સોમા ભાગનું પણ ભાન ન રહે. એ કેવી રીતે વ્યવહાર કરી શકે એ વ્યવહારમાં ઊભો રહી જન શકે. પછી એ જંગલમાં ચાલતો થાય છે.
જેમ તેમ અને જે તે કરાય છે. જેમ તેમ કરાય છે અને જે તે કરાય છે. કોઈ વ્યવસ્થિત વિચાર થતો નથી, આયોજન થતું નથી. હાથમાં આવે એ કામ જેમ તેમ થાય છે. “લખવાની પ્રવૃત્તિ કરતા વાણીની પ્રવૃત્તિ કાંઈ ઠીક છે.” સરખામણીમાં. જેથી કંઈ આપને પૂછવાની ઈચ્છા હોય, જાણવાની ઇચ્છા હોય તેના વિષે સમાગમ કહી શકાશે.” કદાચ તમને મારા પત્રો ઓછા મળશે પણ રૂબરૂ મળો ત્યારે જે પૂછવું હોય એ પૂછજો. એમને આ એક જગ્યાએ હૃદય ઠાલવવું હતું. એટલે એમને તો સામેથી Offer કરી છે. આ પત્રમાં વાત નાખી છે. કેમકે પોતાને સ્વરૂપસ્થિતરતાના પુરુષાર્થનો અત્યારે ઉપાડ આવ્યો છે.
કુંદકુંદાચાર્ય અને આનંદઘનજીને સિદ્ધાંત સંબંધી જ્ઞાન તીવ્ર હતું. સિદ્ધાંતજ્ઞાન વગર સ્થિરતા ન આવે. ગમે એટલો ઉપદેશ ભાવનાથી લીધો હોય પણ સિદ્ધાંત વિના સ્થિરત્વ, સ્થિરપણું ઊપજે નહિ. “સિદ્ધાંત સંબંધી જ્ઞાન તીવ્ર હતું. કુંદકુંદચાર્યજી તો આત્મસ્થિતિમાં બહુ સ્થિત હતા.” નહિતર ઓલા શ્વેતાંબર સાધુ ગણાય છે, આ