________________
૨૫
પત્રક-પ૭૯ વર્ષ સુધી તપસ્યા કરી છે, નિવૃત્તિ લીધી છે, જંગલમાં રહ્યો છે.
પૂજ્ય ભાઈશ્રી -બધું કર્યું છે પણ વિમુખ રહીને. એમાં શું કર્યું છે કે વિધિની ભૂલ છે. ભૂલથી વિધિ બીજી સમજ્યો છે. તપશ્ચર્યા કરીશ તો આત્મકલ્યાણ થશે, શાસ્ત્ર વાંચીશ તો આત્મકલ્યાણ થશે, જાપ જપીશ તો આત્મકલ્યાણ થશે, દાન દઈશ તો આત્મકલ્યાણ થશે, જાત્રાએ જઈશ તો આત્મકલ્યાણ થશે. આમ કાંઈકને કાંઈક એણે પોતે રીત ખોટી પકડી છે, ખોટી રીત માની છે. સ્વસમ્મુખ કેમ થવું? એના ઉપર એનું ધ્યાન ગયું નથી. અંતર્મુખ કેમ થવું? સન્મુખ કેમ થવું? એ વિષય ઉપર એણે વિચાર્યું નથી, એ વિષય ઉપર એણે ખોજ કરી નથી, શોધ કરી નથી, અનવેષણ કર્યું નથી. નહિતર દૂર નથી. “ચતુરાંગુલ હૈ દગ સે મિલહે” કાંઈ દૂર નથી. શ્રીગુરુ તો એવી રીતે બતાવે છે, કે જો ! પ્રત્યક્ષ છે, અત્યંત પ્રત્યક્ષ છે, સૌથી પ્રત્યક્ષ છે. અમને તો એ મહાપુરુષોનો કરેલો નિર્ણય, પરમપુરુષોનો કરેલો એવો નિર્ણય અમને તો અત્યંત અત્યંત પ્રત્યક્ષ છે. અત્યારે હાજરાહજૂર અમને તો પ્રત્યક્ષ વર્તે છે. તને પરોક્ષ છે એનું કારણ છે, કે પરોક્ષતાની આડમાં તું આડ લઈને ઊભો છો. હું તો આવો. હું તો આવો... હું તો આવો... હું તો માણસ, હું તો ફલાણો... હું તો ફલાણો. એ પ્રકારે અનેકવિધ પ્રકારની માન્યતા વિપરીત કરીને બેસી ગયો છે. ગાંઠ મારીને, ગ્રંથી-ગાંઠ મારીને બેસી ગયો છો.
મુમુક્ષુ-માણસ છું એ તો વિચાર કર્યા વગર ચાલુ છે.
પૂજ્ય ભાઈશ્રી – નિર્વિકલ્પ થઈ ગયો છે. ગાંઠ મારીને બેસી ગયો છે એટલે? માન્યતામાં નિર્વિકલ્પપણું છે. પોતાની જઊંધી માન્યતા છે એમાં એ નિર્વિકલ્પ છે. કેમકે શ્રદ્ધા પોતે નિર્વિકલ્પ સ્વરૂપે પરિણમે છે. એવું અહીંયાં કરવાનું છે. અને તે પણ અંધશ્રદ્ધાથી નહિ. પ્રત્યક્ષ અંશથી અનંત પ્રત્યક્ષતાને નિહાળવી છે. વર્તમાન પ્રત્યક્ષ અંશથી અનંત પ્રત્યક્ષતાને સ્વ સ્વરૂપે અવલોકવી છે. બસ! જુઓ! આખું ભવન ફરી જાય છે કે નથી ફરતું ?પરિણમન ફરી જાય છે કે નથી ફરતું ?
મુમુક્ષુ –આપે દડતા હીરાની ઉપમા આપી છે.
પૂજ્ય ભાઈશ્રી – હા. પરિણમતો છે ને એટલે દડતો હીરો (કહ્યો). હાથમાંથી પડ્યો પણ હજી દડે છે એટલે પકડાય છે. ક્યાંક સ્થિર થઈ ગયો હોય તો ગોતવો પડે પણ દડતો હોય તો તરત નજરમાં આવે. એ સ્થૂળ પરિણમન છે. એમ પર્યાયનું પરિણમન સ્થળ છે. વસ્તુ સૂક્ષ્મ છે અને પર્યાયનું પરિણમન એ સ્થળ છે. અને એ પરિણમનમાં જે જ્ઞાન છે, ઇન્દ્રિયજ્ઞાન નહિ, એ પરોક્ષ છે, સામાન્યજ્ઞાન છે તે પ્રત્યક્ષ છે.