SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ રાજહૃદય ભાગ-૧૧ ભાર આવે તો પડી જાય. એને બીજી ડાળી-બાળી તો છે નહિ કે ટેકો મળે. થડકાંઈ એવું છે નહિ તો એનું રાડુ પણ જોરદાર હોય. એને રાડુ કહે છે. ખડ. મનુષ્ય તો અનાજ ખાય. સાંઠા ચાવે નહિ.ખડનખાય. એ તો તિર્યંચને ખાવાનો ખોરાક છે. એમ ધર્મી તો વીતરાગતા અને આત્માના આનંદના ભોજન કરે એ પુણ્યના ફળના ખડખાતા નથી. મુમુક્ષુ - શ્રેણિક મહારાજા નરકમાં છે. ત્યાં પણ શુદ્ધિની વૃદ્ધિથી થતી હશે ને? પૂજ્ય ભાઈશ્રી :- શુદ્ધિની વૃદ્ધિ થાય છે, તીર્થંકર નામકર્મ બાંધે છે. શુદ્ધિની વૃદ્ધિ નિર્જરા થાય જ છે. સારી રીતે. અને એવી શુદ્ધિની વૃદ્ધિ થાય છે, ત્યાં ચારિત્રદશા નથી, ચોથું ગુણસ્થાનથી પાંચમું ગુણસ્થાન ત્યાં આવતું નથી, પણ અચારિત્રભાવે જે ત્રણ કષાયની ચોકડી રહી ગઈ એના મૂળિયા કાપી નાખે છે. જેવા મનુષ્ય થશે કે સીધા ચરમશરીરી થાશે. પ્રથમ તીર્થંકર થશે.ત્રણલોકના નાથ થશે. મુમુક્ષુ અહીં તો અમારે ઘણી સગવડ છે. પૂજ્ય ભાઈશ્રી:-પણ નખરાના પાર નથી. સગવડ હોય તો વધારે નખરા કરે છે. મુમુક્ષુ –પહેલી નારકીમાં થોડાઘણા દુઃખ તો ભોગવવા જ પડેને? પૂજ્ય ભાઈશ્રી :- હા. જે પાપનો ઉદય છે એને અંગેની જે પ્રતિકૂળતાઓ છે, શરીરમાં હજારો રોગ છે. પસ અને પરૂ ચાલ્યા જાય છે, પીડા છે. બીજા પણ પરમાધામી મારે છે, કાપે છે, અનેક જાતની પ્રતિકૂળતાઓ આપે છે. એ બધું થાય. છતાં અંદરથી આત્માનું અવલંબન છૂટે નહિ એ એમનો પુરુષાર્થ કેટલો જબરદસ્ત છે એનો વિચાર કરવાનો છે. દુઃખનો વિચાર નથી કરવાનો. અંદરનો પુરુષાર્થ એવો છે કે એ પરિસ્થિતિમાં પણ નિજ સિદ્ધપદનું આલંબન એ છોડતા નથી, એની પક્કડમાંથી ઉખડતા નથી અને એમાંથી અનુભવાતા સુખને પ્રધાનપણે વેદે છે, મુખ્યપણે વેદે છે, કે જેની પાસે નારકીના દુઃખ ગૌણ થઈ જાય છે. એ પણ કેવી રીતે થાય)?પીડા કેવી રીતે થાય?પણ એનો દાખલો અહીંયાં મળે એવું છે. એક માણસને શરીરની ઘણી વેદના અને પીડા ઊભી થઈ હોય. અને પીડાનો માર્યો રાડ, બુમદેકારા કરતો હોય. એમાં એને એમ કહે કે ૨૫ વર્ષથી તમારો છોકરો જે ગુમ થઈ ગયો હતો અને તમે હાય નાખ્યું હતું. ૨૫-૨૫ વર્ષથી જેના કાંઈ સમાચાર નથી. એ મોટો અબજોપતિ થઈને Foreign થી આવ્યો છે. જુઓ!ચાલ્યો આવે, એમ કહે, શું કહે? આગળ દોડતો આવે એ માણસ એમ કહે કે જુઓ ! ચાલ્યો આવે. એને જુએ ત્યારે પીડા ક્યાં વઈ જાય ઊભો થઈને ભેટે. અને એને ભેટે ત્યારે એને પીડાનથી હોતી ? રોગ મટી ગયો હોય છે? સગો થાય છે?ઉપયોગ બદલાય જાય છે. ઉપયોગ તે
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy