SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ પત્રાંક-૫૪૮ આવે ત્યારે બહારના ખોખા બધા એમને એમ જ ઊભા હોય.સ્વાધ્યાય, પૂજા, ભક્તિ, શાસ્ત્રવાંચન, શાસ્ત્રની સમજણ એ બધું કાંઈ ખોવાઈ ન ગયું હોય. બધું એમને એમ જ હોય. દેખાવમાં કાંઈ ફેર ન પડે. અંદર આત્માએ પલટો મારી દીધો. શુભની રુચિ થઈ જાય છે. બસ, આટલો ટૂંકો જવાબદીધો. શુભની રુચિ એ મિથ્યાત્વની સાધક છે. આ વાત ઉપર ગુરુદેવે વ્યાખ્યાનોની અંદર હજારો પડખેથી વાત કરી છે એનું કારણ આ છે કે ક્યાંય પણ જીવને શુભની રુચિ થવી જોઈએ નહિ. શુભકાર્ય થાય એનો વાંધો નથી, શુભ પરિણામ થાય એનો વાંધો નથી. શુભની રુચિ થાય તો મિથ્યાત્વ દઢ થાશે, બીજું કાંઈ થાશે નહિ. ચારિત્રમોહ મંદ થશે પણ મિથ્યાત્વ દઢ થઈ જશે. આ વાત ઉપર ધ્યાન ખેંચ્યું છે. ‘ગુરુદેવનો કોઈ પરમ ઉપકાર હોય તો આ વિષય ઉપર છે. મુમુક્ષુ - કર્મ બધા ભોગવવા પડે તેવા વિકલ્પ શ્રેણિકરાજાએ એવો કયો પુરુષાર્થ કર્યો કે એને ખપી ગયા? “શ્રેણિકરાજાને સાતમી નરકમાંથી પહેલી નરક થઈ ગઈ, એવો કેવો એમણે પુરુષાર્થ કર્યો કે એમના બધા કર્મખપી ગયા?, પૂજ્ય ભાઈશ્રી – એ તો સ્વરૂપ સંબંધીનો પુરુષાર્થ હતો. ક્ષાયિક સમ્યગ્દર્શન પામ્યા હતા અને ત્યાર પછી એમનો જે આત્મિક પુરુષાર્થ હતો, અબંધભાવનો જે પુરુષાર્થ હતો. એમાં બધા ફેરફારો થવા માંડે. કર્મબિચારે કૌન? કર્મનું તો શું ગજું છે? બધા ફેરફાર થઈ જાય. એવો શક્તિવંત આત્મા છે. જે પોતે અંદરમાં માર્ગનું આરાધન કરતા હતા એ માર્ગનું આરાધન છે એ બધા કર્મમાં ફેરફાર કરાવી નાખે, ફેરવી નાખે, નિર્જરા કરી નાખે, બધી શક્તિ એમાં રહેલી છે. શુભભાવ તો સહેજે સહેજે ઊંચી કોટીના થાય છે એમ લીધું. સમ્યગ્દષ્ટિને અથવા જ્ઞાનીને, ધર્માત્માને મોક્ષમાર્ગમાં પ્રવર્તતા ઊંચામાં ઊંચી કોટીના મિથ્યાષ્ટિને, કોઈ મિથ્યાષ્ટિને હજારો વર્ષની તપશ્ચર્યા કરનારને પણ જે ઊંચા શુભભાવન થાય એવી ઊંચી કોટીના ભાવ થાય છે. છતાં એની રુચિ નથી થતી. અરે! એની સામે એ જોતા નથી. એ એને ખડ સમજે જેમ ખેતરમાં અનાજ વાવ્યું હોય અને First class મોટા દાણાનું અનાજ પાકે, ઘઊંનો મોટો દાણો કે બાજરાનો મોટો (દાણો હોય), ટબ્બા જેવા દાણા થાય. ડુંડું પણ મોટું બબ્બે હાથનું થાય. આ હમણા છાપામાં આવ્યું હતું ને ? બે હાથનું ડુંડું. એક મીટરનું. એક મીટરના ડુંડામાં એક-દોઢ કીલો તો એની અંદર અનાજ લટકતું હોય. એક સાંઠો હોય ખાલી. એ કેટલો મજબૂત હોય તો ઉપર દોઢ કીલો અનાજ રહે? નહિતર
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy