SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ચજહૃદય ભાગ-૧૧ નિવૃત્તિ થાશે. નહિતર રાત્રે અંતર નિવૃત્તિ નહિ મળે. પાછી એ જ ભૂતાવળ ઊભી થશે. છૂટશે નહિ, નિવૃત્તિ નહિ મળે. બાહ્ય પ્રવૃત્તિથી નિવૃત્તિ લે. એ તો તારું બહાનું છે કે દિવસે મને પ્રવૃત્તિ છે અને નિવૃત્તિ નથી મળતી. એટલે એની સામે દલીલ આપી કે રાત્રે તો નિવૃત્તિ છે ને ? પણ રાત્રે ક્યાંથી નિવૃત્તિ આવવાની હતી ? જે પ્રવૃત્તિ કરી છે એ જ પ્રવૃત્તિના વિકલ્પ ચાલુ થઈ જાય.જે સંયોગોમાં રસ લીધો છે એ જ સંયોગોના વિકલ્પો ચાલુ થઈ જશે. અને કર્મના ઉદય વગરનો કોઈ જીવ નથી કે જેને કોઈ સંયોગ નથી. સંસારમાં સંયોગ વગરનો કોણ જીવ છે? એટલે એ વાત છે. આ કામ કરવાની કિમત, સ્વાધ્યાયમાં તો આ કામ કરવાની કિંમત આંકવા પૂરતી વાત છે. આથી વધારે કામ તો પોતાને જ કરવાનું છે. વિચારોની આપ-લે કરીને આની કિમત આંકવાની છે. આની કિંમત આવે છે કઈ રીતે? તો અંતર નિવૃત્તિ લઈ અને જીવ નિર્ણય કરે. નિર્ણય કરીને આ કરવાનું છે. ચાલો બહુ સરસ વાત લીધી. આ તો અધૂરું વચન છે. જ્ઞાન કરીને આત્મામાં ઉત્પન્ન થયેલો એવો નિશ્ચય બદલતો નથી, કે. કયો નિશ્ચય બદલાતો નથી ? કે સર્વસંગ મોટા આસવ છે;” આ જેટલા સંયોગના, પ્રવૃત્તિના વિચારો છે એ મોટા આસવ છે. આ જીવને બાંધવામાં મોટી મોટી જાડી જાડી સાંકળની સુરંગો જેલ છે. સરખી રીતે જીવને બાંધે છે. જેટલો હું સંગ કરું એટલો બંધાઈશ જેટલો સંગમાં રસ લે એનું નામ હું સંગ કરું છું. સંગમાં રસ લેવો એનું નામ સંગ છે. સંયોગ તો સંયોગ છે, પોતાનો રસ એ જ વચ્ચે માધ્યમ છે, બે પદાર્થ વચ્ચે જોડનારતો. મોટા આસવ છે; ચાલતાં, જોતાં, પ્રસંગ કરતાં....” ચાલતાં રસ પડે, જોતાં રસ પડે, પ્રસંગ કરતા એટલે ઉદયમાં આવતા રસ પડે. “સમય માત્રમાં નિજભાવને વિસ્મરણ કરાવે છે. એક સમયમાં આત્માને ભૂલાવી દે એવી વાત છે. જો રસ પડ્યો તો સ્વભાવનું વિસ્મરણ છે કે જાણે હું છું જનહિ. હું કોઈ આત્મા જેવી ચીજજનથી. એ રીતે સ્વરૂપને વિસ્મરણ કરાવે છે. એવા આ ભયંકર... સંગ એટલે સંગમાં રસ લેવો એ ભયંકર ચીજ છે. એમ નિર્ણય એને જ્ઞાન કરીને થવો જોઈએ, રાગે કરીને નહિ. બસ, આ નિર્ણય જ્ઞાન કરીને થવો જોઈએ. જ્ઞાન કે જે નિર્લેપ રહે છે, જ્ઞાન કે જે અસંગ રહે છે. આટલું આટલું વીંટળાય છે... આ પ્રવૃત્તિમાં તો જ્ઞાન વીંટળાય છે કે નહિ? જેટલા સંકલ્પ વિકલ્પ કરે છે અને જેટલા જોયો છે એની સાથે જ્ઞાન સંગ કરીને વીંટળાયછેને? સ્વરૂપે કરીને નિર્લેપ રહે છે. એનું
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy