SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ રાજહૃદય ભાગ-૧૧ ગાંધીજીને આ એક બહુકિમતી માર્ગદર્શન “શ્રીમદ્જીએ આ જગ્યાએ આપ્યું છે. યોગ્યતા હોય તો સારો એવો ફેર પડે અથવા એ યોગ્યતા હોય તો આવું કહેનાર પુરુષના સંગમાં બીજી બધી પ્રવૃત્તિ ગૌણ કરીને... “ગાંધીજી બેરિસ્ટર થઈને આવ્યા અને “મુંબઈમાં વકીલાત ન જામી. “મુંબઈમાં હજી વકીલાત... પૈસાની તો જરૂર હતી. આફ્રિકામાં ગયા છે. ડરબન ગયા છે એ આર્થિક સ્થિતિને કારણે Social activity માં પડ્યા છે. એ તો પાછળથી પડ્યા છે. સામાજિક ચળવળની અંદર. પણ પહેલા આર્થિક રીતે ગયેલા છે. તો જરૂરત લાગે તો માણસ પરદેશ ખેડે છે કે નહિ ? દરિયો ખેડીને પરદેશ જાય છે. તો સત્સંગ અને આત્મહિતની જરૂરત લાગે તો માણસ ગમે ત્યાં જાય. એ વાત કોઈને સમજાવવી પડે એવી નથી. પોતાની જરૂરિયાત લાગવી જોઈએ. પોતાનો દેશ છોડીને લોકો જાય જ છે. એમાં ગુજરાતી અને મારવાડી તો એ બાબતમાં પ્રખ્યાત છે. ગુજરાતી, મારવાડી અને પંજાબી લોકો. દુનિયાના ઘણાં બધે... છે. ભાગ્યે જ કોઈ એવો દેશ છે કે જ્યાં ગુજરાતી નથી એમ કહેવાય છે. એ શું બતાવે છે? કે એને ખબર છે કે પૈસાની માટે જરૂર છે અને પૈસા માટે પરદેશ જવું પડે એ કાંઈ મોટી વાત નથી. એ તો એને કાંઈ ગણના જ નથી. એક આત્મહિત માટે ક્યાં જાવું અને ક્યાં ન જાવું. એનો વિવેક જીવ કરી શક્યો નથી. ન જવાની જગ્યાએ જાય, જવાની જગ્યાએ ન જાય. પોતાના મતિદોષથી અથવા અસરળતાથી એવું બને છે. મુમુક્ષુ-એટલે આત્મહિતમાં સુખ સમજ્યો નથી. પૂજ્ય ભાઈશ્રી – આત્મહિતનું લક્ષ્ય નથી અને ધ્યેય નથી. નહિતર...ગાંધીજી હિન્દુસ્તાન છોડીને ડરબન ગયા હતા... એ ડરબન છોડીને હિન્દુસ્તાનમાં આવી ગયા હોત, આ એક કાગળથી. આવી જ સરસ એમને પોતાને સીધા પત્રવ્યવહારથી શિખામણ દે છે કે અનિત્ય પદાર્થથી જન્મ-મરણની વૃદ્ધિ થાય છે તો હું શું કરવા અહીંયાં રહું?.... પાછો ન ચાલ્યો જાઉં. એ છોડી હિન્દુસ્તાનમાં આવી ગયા, પાછળથી જોકે હિન્દુસ્તાનમાં આવ્યા છે. ક્યારે આવ્યા એ ઇતિહાસની આપણને ખબર નથી. પણ એણે “શ્રીમદ્જીનો સત્સંગ રાખ્યો નથી એ વાત નક્કી છે. હજી કદાચ એકાદપત્ર આવશે એમાં ત્યારે એ બરાબર સામાજિક પ્રવૃત્તિમાં ગૂંચવાણા છે અને એનો ઉકેલ પણ એ “શ્રીમદ્જીને પૂછે છે. આત્મહિત ઇચ્છવાને બદલે મારે નીચવર્ણના લોકોની સાથે જમવું કેન જમવું?જમવામાં કાંઈ દોષ થાયકેન થાય? એવું બધું પૂછ્યું છે. શું કહે છે? “ગાંધીજીને કેટલો બધો Response આપ્યો છે! જુઓ ! કંઈ પણ આત્મવિચાર કરવાની ઇચ્છા તમને વર્તે છે, એમ જાણી ઘણો સંતોષ થયો છે. મારા
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy