SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬, રાજહૃદય ભાગ-૧૧ નગ્ન વેષધારી કે વસ્ત્રધારી વેષ હોય, પણ જો સમ્યગ્દર્શન વિના સાધુપણું હોય તો તે અસંયમી છે માટે તેને વંદન કરવા નહિ. “સ્પંગલંબ વન્ને ત્યાર પછી આગળ ચાલીને કહ્યું, કે સમ્યગ્દષ્ટિ ભલે અવિરત સમ્યગ્દષ્ટિ હોય, તો પણ તેને વંદન કરવા. વંદન કરવા નહિ અને ... શબ્દ વાપર્યો. એ જ પ્રકરણની અંદર. છ ગાથા છોડીને સાતમી ગાથામાં. આ ૨૬મી ગાથા અને આ ૩૩મી ગાથા છે. એ જ વખતે એને અર્ધ ચડાવો તમે.મૂળ માગધીમાં એ શબ્દ વાપર્યો છે. કોઈને ફોદો રહી જાય?ન રહી જાય. સ્મણ મુલ્લો ધમ્મોમાં લીધું છે.” હવે પોતાની વાત કરે છે, કે નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ... ત્યાંથી શરૂ કરવાનું છે. આટલું ચાલી ગયું હતું. નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ.” આ વ્યાપારની કડાકૂટમાંથી છૂટવાનો (જાપ જપે છે). રસ નથી પણ વેપારની કડાકૂટમાંથી છૂટવા માટે વળી વિચાર આવે છે અને વિચાર આવે છે નહિ અંદર જાપ ચાલે છે. છૂટવું... છૂટવું... છૂટવું. છૂટવું... છૂટવાનો જાપ ચાલે છે. ૨૮મે વર્ષે આ પરિસ્થિતિ છે. જોકે એમ લાગે છે કે તે વિચાર અને જાપ હજી તથારૂપ નથી,... સંતોષ નથી. છૂટવાનો વિચાર અને છૂટવાનો જાપ ચાલે છે એનો સંતોષ નથી. ઊલટાનું એમ કહે છે કે એ તો હજી શિથિલ છે; અમારો એ વિચાર અને જાપશિથિલ છે. નહિતર છૂટી જ જાય. એની ઉગ્રતામાં કર્મની સ્થિતિ પૂરી થઈ જાય એમ કહે છે. જે મહાત્માઓએ સર્વસંગપરિત્યાગ કરીને મુનિદશા ધારણ કરી ભાવલિંગદશામાં આવ્યા, એનો ગૃહસ્થ સંબંધીનો પૂર્વકર્મનો ઉદય પૂરો થઈ જાય છે. ઉદય રહી જાય છે અને એ દશા પાછી થતી નથી. એ ઉદય પણ ખલાસ થાય છે. એની સ્થિતિ ટૂંકાઈને ગમે તે રીતે પણ પૂરી જ થાય. એ જ પરિસ્થિતિ હોય છે. કર્મની અને ભાવની પણ એ જ પરિસ્થિતિ, સામે દ્રવ્યકર્મની એવી જ પરિસ્થિતિ થાય. એટલે કહે છે, કે એ હજી તથારૂપ નથી. જેવો જોઈએ એવો નથી. અમને એનાથી સંતોષ નથી. શિથિલ છે; માટે અત્યંત વિચાર અને તે જાપને ઉગ્રપણે આરાધવાનો અલ્પકાળમાં યોગ કરવો ઘટે છે. એવી મારી યોગ્યતા માટે તૈયાર કરવી ઘટે છે, કે એવી ઉગ્રતામાં આવીએ, એ જાપ અને એ વિચાર એટલી બધી ઉગ્રતામાં આવે કે આ પરિસ્થિતિ ઊભી ન રહે બહારમાં, છૂટી જ જાય. બે રીતે ઉદય છૂટે. એક અજ્ઞાનપણે દીક્ષા લે તે ત્યારે ઉદય છૂટે અને બીજો ઉદય શરૂ થાય. એને તો એક ઉદય છૂટીને, બીજો ઉદય શરૂ થાય. જ્યારે ભાવલિંગી મુનિને એક ઉદય પૂરો થાય અને અનઉદય
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy