SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક-૫૬૭ ૨૫૫ તેટલા નિર્મળપણાએ કરી તે રોગને અંતર્પરિણામે શાની વેઠે છે,...' એટલે કે એને એટલો કર્મબંધ નથી થતો. મિથ્યાત્વ અવસ્થામાં જે સામાન્ય માણસને એવા જ રોગથી કર્મબંધન થાય એવું ત્યાં જ્ઞાનીને કર્મબંધન થતું નથી. કેમકે એ પોતે શરીર અને શરીરની વેદના, શરીરના પર્યાયો, પછી અનેક પ્રકારના કંપ, સ્વેદ વગેરે એ બધાથી ભિન્નપણાથી અને પોતાના આત્મભાનમાં રહીને એને વેદે છે. પોતે શુદ્ધ જ્ઞાયક ચૈતન્યસ્વરૂપી આત્મા છે એના બેભાનપણામાં અનુભવ નથી કરતા, એના સભાનપણામાં અનુભવ કરે છે. એ રીતે નિર્મળતાએ કરીને, સભાનપણાએ કરીને તે રોગને અંતર્પરિણામે શાની વેઠે છે,...' પરિણામે વેઠે છે એમ નથી કીધું. આ અંત૨પરિણામે જ્ઞાની એને વેદે છે, અનુભવે છે. અને વેદતાં કદાપિ બાહ્ય સ્થિતિ ઉન્મત્ત જોવામાં આવે...' અંદરની સ્થિતિ નહિ પણ બહારની ઉન્મત્તતા જોવામાં આવે. કોઈને એમ થાય કે આમ કેમ બોલે છે ? આમ કેમ વર્તે છે ? એવું પણ લાગે. બાહ્ય સ્થિતિ ઉન્મત્ત જોવામાં આવે તો પણ અંતર્પરિણામ પ્રમાણે કર્મબંધ અથવા નિવૃત્તિ થાય છે.’ તોપણ એમને જે કર્મબંધ થવા અલ્પ કર્મનો બંધ થાશે અને નિર્જરા વિશેષ થાશે તો એ અંતર્પરિણામ અનુસાર થશે. બહા૨ની સ્થિતિ દેખાય છે એ પ્રમાણે એને બંધન થવાનું નથી. આ વાત છે. મુમુક્ષુ :— અંતર્પરિણામે વેદે છે એટલે અંતમાં પરિણામ સ્વભાવ તરફી લાગી = જાય? પૂજ્ય ભાઈશ્રી :— હા. અંતર પરિણામમાં એનાથી ભિન્ન પડેલા છે અને પોતાના સ્વભાવને વળગેલા છે અથવા પોતાના સ્વરૂપ સાથે અભેદ થયેલા, ... થયેલા પરિણામને લીધે જે જુદા પડી ગયા છે, ભિન્ન પડી ગયા છે. એના કારણે ભિન્ન પડ્યા. તો એ અનુસાર મોક્ષની પણ વ્યવસ્થા છે એટલે આંશિક મુક્તિ થાય છે. નિર્જરા છે એટલે આંશિક મુક્તિ છે. અને અલ્પ બંધ થશે એટલે જેટલી અસ્થિરતા છે અને અસ્થિરતાનો ચારિત્રમોહનો જેટલો રાગાંશ છે એટલો અલ્પ બંધ પણ થાય છે. એ પ્રમાણે કર્મબંધ થશે અથવા નિવૃત્તિ થશે. બાકીનું વાક્ય અધૂરું રહી ગયું છે, કે આત્મા જ્યાં અત્યંત શુદ્ધ એવા નિજ પર્યાયને સહજ સ્વભાવે ભજે’ એમ કરતાં કરતાં-સ્વરૂપને અનુસરતા અનુસરતા જ્યાં અત્યંત શુદ્ધ સ્વભાવને આત્માને ભજે. પોતાનો નિજ પર્યાય એકદમ કેવળ શુદ્ધ થઈ જાય. પછી ત્યાં એને કર્મબંધ થતો નથી. ‘ત્યાં...’ એમ કરીને અધૂરું રહી ગયું છે. એટલે કાગળનો નીચેનો ભાગ મળ્યો નથી. પણ ત્યાં પછી આત્માને કોઈ કર્મબંધ થતો
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy