SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ રાજહૃદય ભાગ-૧૧ કંપે, પગ કંપે આખુ શરીર કંપે, ગમે તે અંગ, એક અવયવ કંપે એમાં આખું શરીર કંપાયમાન થાય. “સ્વેદ...” એટલે પસીનો. ઘણો પસીનો... પસીનો... પસીનો... થઈ જાય. દુર્ગધ આવે. મૂચ્છ,... બેભાનપણે જેને કહે છે. એવો કોઈ જબરદસ્ત શરીર ઉપર ઘા પડ્યો હોય, Accident થઈ ગયો હોય તો શરીરમાં મૂચ્છ આવે અથવા દવા સુંઘાડે તોપણ મૂર્છા આવે. “સોગાનીજીને છરી વાગી હતી ત્યારે થોડો ટાઈમ એમને ખ્યાલ નથી રહ્યો. હોસ્પિટલમાં લઈ ગયા પછી ખ્યાલ આવ્યો છે કે અહીંયાં હોસ્પિટલમાં દાખલ થયા છે. વચ્ચે એ બેભાન થઈ ગયેલા. છરી વાગી ત્યારપછી રસ્તામાં જ બેભાન થઈ ગયા. એમ મૂર્છા આવી જાય. બાહ્ય વિશ્વમાદિ દષ્ટ થાય...” વિભ્રમ થાય પણ બહારના પદાર્થવિષેનો વિભ્રમ થાય. આત્મા વિષે વિભ્રમ થાય નહિ. હું દેહ છું એવો વિશ્વમન થાય, હું શરીર છું એવો વિભ્રમ ન થાય. આત્મા છું એનું ભાન રહી જાય. પણ બહારના પદાર્થો વિષે વિભ્રમ થાય. દાળ વાટકામાં હોય, તો એમ કહે), આકેમ ચાદેખાય છે?મને ચાનહિ ફાવે. ચા ન હોય પણ દાળ હોય. જોવાફેર થાય કે કલ્પના ફેર થાય એને બાહ્ય વિભ્રમ કહે છે. મુમુક્ષુ - જ્ઞાની બેભાન થયા તો લોકદષ્ટિવાળાને તો એમ લાગે આ બેભાન છે. પણ સાત્વિક ધ્યાની હોય તો એની અંતર પરિણતિને સમજી શકે છે કે જાગૃત છે. પૂજ્ય ભાઈશ્રી – એ વખતે બહારમાં એનું કોઈ ચિહ્ન નથી હોતું. મૂર્છા આવી જાય ત્યારે અંતર પરિણતિ અંદરમાં ચાલે છે એનું કોઈ ચિહ્ન બહારમાં તો આવે નહિ. એટલે બહારમાં કોઈને ખ્યાલ ન આવે. જ્ઞાનીને એની જ્ઞાનદશાની પ્રતીતિ હોય છે એટલે એને ખ્યાલ હોય છે, કે આને પરિણતિ છૂટવાનો પ્રશ્ન નથી. મુમુક્ષુ –એવું અનુમાન કરવું પડે જ્ઞાનીને? પૂજ્ય ભાઈશ્રી :- અનુમાન એટલે સીધો તો અરૂપી પરિણામ છે એટલે શ્રુતજ્ઞાનનો વિષય નથી થતો. અનુમાન નથી પણ પ્રતીતિ છે એને ખાત્રી જેને કહેવાય. પ્રતીતિ એટલે જેને ખાત્રી કહેવાય. બાહ્ય વિશ્વમાદિ દષ્ટ થાય છે; તથાપિ જેટલું જ્ઞાન કરીને....... હવે એક એને જે ભોગવે છે, એ પરિસ્થિતિને, રોગની પરિસ્થિતિને વેદે છે અથવા ભોગવે છે તો જ્ઞાને કરીને એટલે આત્મજ્ઞાને કરીને, આત્માનો જે બોધ થયો છે એ “બોધ કરીને... અને એ પ્રત્યેની જે ઊપેક્ષા છે-શરીર પ્રત્યેનો ઊપેક્ષા ભાવ છે વૈરાગ્યે કરીને આત્માનું નિર્મળપણું થયું છે...” જ્ઞાન અને વૈરાગ્ય આ નિર્મળપણું થવામાં કારણ છે, એ બંને કારણ છે. એટલે આત્માનું નિર્મળપણું થયું છે.
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy