SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૫ પત્રાંક-પ૬૬ જોઈએ. એકને એક જગ્યાએ રોકાવાથી શું ફાયદો? કેમ રોકાવાય? એ નીચે જવાનો વારો આવે છે. એટલે મોક્ષમાર્ગી જીવો પુરુષાર્થ કરીને આગળ વધે છે. મુનિદશામાં તો બહુ સ્પષ્ટ વાત છે કે છઠ્ઠા-સાતમા ગુણસ્થાનથી જો આગળ ન વધે, કેવળજ્ઞાનનો પુરુષાર્થ કરવા માટે તો એમણે મુનિપણું લીધું છે અને જો કેવળજ્ઞાનની શ્રેણી ન માંડે અને છઠ્ઠા-સાતમામાં જ આયુષ્યનો કાળ વ્યતીત કરે તો) ચોથે આવી જ જવું પડે. જેવું આયુષ્ય પૂરું થાય કે એક સમયમાં ચોથા ગુણસ્થાને નીચે ઉતરી જાય. અને કેટલી મોટી સજા થાય? સાગરોપમની. મુનિદશામાં તો ૧૫, ૨૦, ૨૫, ૩૩ સાગર સુધી વયા જાય. અત્યારે નીચે બે-ચાર સાગરની સ્થિતિમાં જાય. મુનિરાજ તો ઉપરની સ્થિતિમાં જાય છે. કારણ કે એનું તો શુભ ઘણું વધી ગયું છે. અઘાતિની સ્થિતિ જલાંબી પડે, એટલો કષાયમંદ થઈ ગયો છે. મોટુંJunction આવી ઊભું રહે. ચોથા ગુણસ્થાનમાં બધો સમય કાઢવાનો. પછી ત્યાં ભાવના કર્યા જ કરે. અરે..! મનુષ્યપણું હોત તો ચારિત્ર આવત. મનુષ્યપણું હોત તો ચારિત્ર આવત. અહીંયાં કોઈ પરિસ્થિતિ દેખાતી નથી. કેમકે ત્યાં રાગબંધન (છે), તીવરાગ, ચારિત્રમોહનો રાગ તીવ્ર થઈ ગયો છે. ચોથા ગુણસ્થાનનું કારણ એ છે કે બીજી બે ચોકડીનો જે અભાવ હતો એ સદ્ભાવ થઈ ગયો. ઉદય ચાલુ થઈ ગયો. પ્રત્યાખ્યાનાવરણી, અપ્રત્યાખ્યાનાવરણી. સંજવલનમાંથી બીજી બે વધી પાછી. મુમુક્ષુ -બે પાંડવો છે જને.. પૂજ્ય ભાઈશ્રી:- હા. ૩૩ સાગરની સ્થિતિએ સર્વાર્થસિદ્ધિમાં ગયા છે. નકુલ અને સહદેવ. યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન અહીંયાં શેત્રુંજય ઉપરથી મોક્ષે પધાર્યા છે. બરાબર ઉપર સમશ્રેણીએ સિદ્ધાલયમાં બિરાજે છે. મુમુક્ષુ – સમ્યગ્દષ્ટિ ધર્માત્મા આવી બાહ્ય ઉપાધિમાં પડ્યા હોય અને આ અંતરંગ પણ ભીખવ્રત કેવી રીતે પાલન કરે છે એના ઉપર મુમુક્ષુનું લક્ષ જાય તો એ જ્ઞાનીને ઓળખે. પૂજ્ય ભાઈશ્રી:- હા. એટલા માટે એમને સ્વીકાર છે, કે આમાં આત્માર્થી કેવી રીતે સાધે છે. જો જ્ઞાની છે અને આટલી મથામણમાં પડ્યા છે, તો મુમુક્ષુએ તો ઘણી જ સાવધાની રાખવાની જરૂર છે. એમ એમાંથી આપોઆપ નીકળે છે. જ્ઞાનદશામાં એમણે આ વાત લીધી છે. મુમુક્ષુ –પોતાના પરિણામની કેટલી સ્પષ્ટ.. પૂજ્ય ભાઈશ્રી બહુચોખ્ખું કહેતા સંકોચ નથી ને. સોભાગભાઈ એક એવું
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy