________________
૨૩૪
ચજહૃદય ભાગ-૧૧ વ્યવહારિક ન્યાયની નીતિ છૂટી જાય છે. જો પ્રવૃત્તિ કરીએ છીએ તો એ આત્માને સખ પડતું નથી. કે નહિ, આ તારું કામ નથી. હવે આ તારું કામ નથી. તું છોડ. આને છોડતું હવે. આ તારું કામ નથી. આ કર્તવ્ય નથી. અને પ્રવૃત્તિ કરતા પણ જો આવી રીતે એનો ત્યાગ કરવામાં આવે તો આ પરિસ્થિતિ ઊભી થાય છે. આમ બે બાજુ જરા પોતાને વિકલ્પ આવે છે.
અને તેમ વિચારી જો દયા ઉપકારાદિ કારણે કંઈ પ્રેમદશા રાખતાં...” ભાઈ ચાલોને એમને નકામું દૂર થઈ જશે. આપણે તો એક થોડુંક અહીંયાં હાજર રહેવાનું છે, પૂછે એનો જવાબ દેવાનો છે. બીજું કાંઈ આપણે વિશેષ માથાકૂટ નથી. એમ કાંઈક પણ દયા, ઉપકારાદિના કારણે કંઈ પ્રેમદશા રાખતાં ચિત્તમાં વિવેકને ક્લેશ પણ થયા. વિના રહેવો ન જોઈએ... એ તો આત્માનો વિવેક છે કે આ છોડવા જેવું છે. તો એનો ક્લેશ થાય છે. અંદરમાં આત્મા માટે ક્લેશ થાય છે, બહારમાં બીજા માટે ક્લેશ થાય છે. આ બે ધારી તલવાર છે.
મુમુક્ષુ – વ્યવહારમાં વિવેક કરવા જાય તો આત્મામાં ક્લેશ થાય.
પૂજ્ય ભાઈશ્રી:- આત્મામાં ક્લેશ થાય. જો ઓલાનો સાવ ઉલાળ્યો કરે, કે આ ખંખેર્યું બધું. તો એ બધાને ક્લેશ થાય છે, દુઃખ થાય છે. કરવું શું અમારે ? એમ કહે છે. ‘ત્યારે તેનો વિશેષ વિચાર ક્યા પ્રકારે કરવો ? તો હવે એનો વિશેષ વિચાર કેવી રીતે કરવો ? શું આનો રસ્તો કાઢવો એમ કહે છે. આ પ્રશ્ન ઊભો છે. આ પ્રશ્ન હજી ઊભો છે. પ૬૬માં. તો પછી શું રસ્તો કાઢવો આનો વિશેષ પ્રકારે વિચાર કરવો એટલે તો પછી અમારે ક્યા પ્રકારે પ્રવર્તવું? આ એક તમને એટલે “સોભાગભાઈને એમણે આ પ્રશ્ન પૂક્યો છે. કે અમારે કરવું શું હવે ? મારે મથામણ થાય છે અને કરવું શું એ કાંઈ સૂઝ પડતી નથી.
મુમુક્ષુ -આ ત્રણે કાળના જ્ઞાનીની અંતરંગ સ્થિતિનું વર્ણન છે?
પૂજ્ય ભાઈશ્રી :- હા. જ્ઞાની પણ અંદરમાં કેવી રીતે આગળ વધવા માટે પુરુષાર્થના ધમપછાડા કરે છે. પુરુષાર્થના ધમપછાડા છે. કેવી એને તાલાવેલી લાગેલી હોય છે. કેટલી છટપટી લાગેલી હોય છે. એમ નથી કે સમ્યગ્દર્શન થઈ ગયું એટલે... અમને હવે સમ્યગ્દર્શન તો થઈ ગયું છે ને હવે કાંઈ વાંધો નથી. એવી રીતે કોઈ ચાલતા નથી. એ પણ વર્તમાન પરિસ્થિતિથી એ લખશે હજી તો આગળ. કે આમ ને આમ આ રીતે વધારે કાળ જાય તો ગુણસ્થાન રહેવું મુશ્કેલ છે. આગળ વધવું જ જોઈએ. એની તૈયારી શું છે?કે આગળ વધવું જ જોઈએ. મોક્ષમાર્ગની અંદર આગળ પ્રયાણ કરવું જ