SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક-પ૬૦. ૨૦૯ મુમુક્ષુ-મુમુક્ષુને શરૂઆત ત્યાંથી કરવી ? પૂજ્ય ભાઈશ્રી:-પ્રસંગે પ્રસંગે. એ તો કહેશે, કાર્યો કર્યો, ક્ષણે ક્ષણે અને પ્રસંગે પ્રસંગે...” આવી જાગૃતિની દશાનો અનુભવ કર્યા વિના કોઈ રીતે મુમુક્ષતા પણ સંભવિત નથી. જ્ઞાનદશાની વાત તો આવી રહી ગઈ. મુમુક્ષતા પણ નથી એમ કહે છે. અને એ પ્રવૃત્તિમાં સાંસારિક કાર્યમાં વસતાં. અથવા પ્રવૃત્તિ કરતાં જો આ જીવ કંઈ પણ નિર્ભય કે અજાગૃત રહે. નિર્ભય એટલે શું?મને કાંઈ વાંધો નથી, મને કાંઈ વાંધો નથી. મને શું વાંધો છે? હું તો સુખી છું, હું કાંઈ દુઃખી નથી. જમવાના સમયે ભોજન મળી જાય, સુવાના સમયે આરામ મળી જાય છે. બાકી બધી અનુકૂળતાઓ છે. કાંઈ તકલીફ દેખાતી નથી. માટે નિર્ભયપણું છે. અથવા હું બંધાઉં છું કે નથી બંધાતો એ વિષયમાં મારું હિત થાય છે કે અહિત થાય છે? એ વિષયમાં “અજાગૃત રહે તો ઘણાં વર્ષનો ઉપાસેલો વૈરાગ્ય પણ નિષ્ફળ જાય...” મુમુક્ષની ભૂમિકામાં ઘણા વર્ષ સુધી જે વૈરાગ્ય ઉપાસેલો હોય, એ કોઈ એકાદપ્રસંગમાં તીવ્ર પ્રવૃત્તિ કરી લે (એટલે વૈરાગ્યનું) ધોવાણ થઈ જાય. વર્ષો સુધી (ઉપાસેલો વૈરાગ્ય છે એ) ધોવાઈ જતા વાર લાગે નહિ. મુમુક્ષુ - ઘણાં પ્રસંગથી વૈરાગ્યમાં પરિણામ આવે... પૂજ્ય ભાઈશ્રી:-હા, માંડમાંડતો આવ્યો હોય, પાછો ઉદયમાં ક્યાંક ક્યાંક રસ આવી જાય એટલે ત્યાં એને તીવ્રરસ, રાગરસના પરિણામ થાય છે. એ વૈરાગ્ય ઉપાસેલોવૈરાગ્ય... આગળની બધી મહેનત ખલાસ. એવો નિત્ય પ્રત્યે નિશ્ચય...” એવો નિશ્ચય રાખવો. નિત્ય પ્રત્યે એને સંભારવો, સ્મરણમાં રાખવો. એ વાત લક્ષમાંથી છૂટવી જોઈએ નહિ. એમ એ લક્ષમાં રાખીને નિરૂપાયપ્રસંગમાં. જે પ્રસંગમાં ઉપાય ન હોય. પ્રસંગમાં પ્રવૃત્તિ કર્યા વિના ઉપાયન હોય, ચાલે એવું ન હોય. તો કંપતા ચિત્તે. નિર્ભય થઈને નહિ પણ બીતા બીતા. ભવભ્રમણથી ભય પામતા પામતા “ન જ છૂટ્ય પ્રવર્તવું ઘટે છે.... ચાલતું નથી એટલે કરવું પડે છે. આ... ગયા કે રહ્યા એ મુખ્ય કામ કરે છે કે નથી કરતા એ નથી, પ્રવૃત્તિ કરે છે કે નિવૃત્તિ લે છે એ નથી, પણ એનો રસ કેટલો છે એના ઉપર બધો આધાર છે. એ વિષય સમજવાનો છે. મુમુક્ષુને જે સમજણમાં લેવાની વાત છે એ કે પોતે કેટલો રસ લે છે. એ જગ્યાએ એ પોતે હોય તો કેટલો રસ લે. આખી દુનિયા ભૂલી જાય. અને જે પ્રસંગ એવો ઊભો થયો એમાં ટીંગાઈ જાય. આખે આખા એમાં ટીંગાઈ જાય. જ્યારે જ્ઞાની છે એ ભિન્ન રહીને પ્રવર્તે છે, જુદા રહીને પ્રવર્તે છે, છૂટા રહીને પ્રવર્તે છે. એ વાતનો મુમુક્ષુ જીવે કાર્યો કાર્યે, ક્ષણે ક્ષણે અને પ્રસંગે પ્રસંગે લક્ષ રાખ્યા વિના
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy