SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક-૫૪૮ ૮૩ ભોગવવું પડે, કેમ કે એ મોક્ષમાર્ગમાં આવી ગયો છે, મોક્ષમાર્ગી જીવને વાંધો નહિ, હવે એને પૂર્વકર્મમાફ કરી દ્યો. સરકાર લેણું માફ કરી દેછેને? એવું ચાલતું નથી. એને પણ ઉપાર્જિત કે પ્રારબ્ધ ભોગવવું પડે છે. ત્યાં સુધી કે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે એવા વીતરાગને પણ ઉપાર્જિત પ્રારબ્ધરૂપ એવા ચાર કર્મ વેદવા પડે છે, તો તેથી ઓછી ભૂમિકામાં સ્થિત એવા જીવોને...” કે જેને આઠેય કમ ઉપાર્જિત છે હજી. પ્રારબ્ધ ભોગવવું પડે તેમાં આશ્ચર્ય કંઈ નથી.” જેમતે સર્વજ્ઞ એવા વીતરાગને ઘનઘાતી ચાર કર્મનાશ પામવાથી વેદવાં પડતાં નથી, કેમ કે એ નાશ થઈ ગયા. નાશ થાય એનો કોઈ સવાલ નથી. નાશ ન થયા હોય ત્યાં સુધી એના ભોગવટાનો સવાલ ઊભો રહે છે. અને ફરી તે કર્મ ઉત્પન થવાનાં કારણની તે સર્વજ્ઞ વીતરાગને સ્થિતિ નથી, પરિસ્થિતિ નથી, કે હવે એ ચાર કર્મમાંથી ફરીને કાંઈ એમાંથી ઉત્પત્તિ થાય. અન્યમતમાં માને છે ને ? ઈશ્વરનો અવતાર. મુક્ત આત્માઓને તો જન્મ-મરણ હોતા જ નથી, એને અવતાર લેવાનો પ્રશ્ન હોતો નથી. એને કોઈ કારણ નથી. આત્મામાં એ કોઈ કારણ રહ્યું નથી. એ ઈશ્વરકર્તા સિવાય જે આવેદાંતની જે પરમબ્રહ્મની Philosophy છે એમાં પણ એ વાત છે. એક કાળે બધું થાય છે. પાછું એની અંદર જેમ પાણીમાં તરંગ ઉત્પન્ન થાય એમ પાછી સૃષ્ટિની રચના થાય છે. કારણ-કાર્યનું Logic છે એનો કાંઈ મેળ ખાતો નથી. બધું પ્રલય થઈને એક પરમબ્રહ્મ થઈ જવાનું શું કારણ કે એનો સ્વભાવ એવો છે. જો એના સ્વભાવ છે તો એથી વિરુદ્ધ પરિણમન પાછું શરૂ થવાનું શું કારણ? બે સ્વભાવ થઈ ગયા વિરુદ્ધ સ્વભાવ થઈ ગયા. એ કોઈ સંભવી શકે નહિ. મુમુક્ષુ - ઈશ્વર થવા પહેલા નિર્વિકલ્પ દશા ધારણ કરે પછી ઈશ્વર થયા પછી આખા જગતની જંજાળ... પૂજ્ય ભાઈશ્રી –એ તો ઘણું સ્થળ છે. ઈશ્વરનું તત્ત્વજ્ઞાન તો ઘણું સ્થળ છે. પણ વેદાંતમાં બહ્મ, પરમબ્રહ્મનું તત્ત્વજ્ઞાન થોડું સૂક્ષ્મતાથી લીધું છે. અને એની અંદર આ સૃષ્ટિને ભ્રાંતિ કહી છે. આ એક ભ્રાંતિ છે. પણ ભ્રાંતિ કોને? પરમબ્રહ્મને ભ્રાંતિ? કે કોને ભ્રાંતિ થઈ છે? કેમ કે પરમબ્રહ્મ સિવાય તો જગતમાં કોઈ પદાર્થ નથી. ભ્રાંતિ થવાનું કોઈ કારણ ખરું એને? એવો કોઈ સ્વભાવ છે? કેમકે જૈનદર્શનમાં આત્માનો સ્વભાવ કહ્યો, કે આત્માને અનંત શક્તિઓ છે, એમાંથી કોઈ શક્તિ એવી નથી, કે જે રાગને, દોષને, વિભાવને ઉત્પન કરે. જો આત્માને એ સ્વભાવ શક્તિ હોય તો કદિ પણ એનો નાશ થઈને અભાવ થઈને કોઈનો
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy