________________
૬૪ઃ જૂનાગઢ અને ગિરનાર રાણી કુવાદેવી શકરાજને સોંપી દેવાની શર્ત તેણે મુક્તિ મેળવી. સમુદ્રગુપ્તને અનુગામી તેની રાણુ શત્રુને સોંપી દે તેવી નામોશીભરેલી સંધિ ચંદ્રગુપ્તને સ્વીકાર્ય ન હતી, તેથી તેણે ધ્રુવદેવીને સ્વાંગ સજી શકેની છાવણીમાં જઈ શકરાજને ઘાત કર્યો અને તે પછી રામગુપ્તને મારી ધૃવાદેવી સાથે લગ્ન કર્યા અને મગધને મહારાજા થયો.
આ પ્રસંગ કાવ્યમીમાંસા, હર્ષચરિત અને અન્ય સાહિત્યમાં વર્ણવેલો છે. તેને મૂળ લેખક વિશાખ દત્ત, ગુપ્ત વંશના ઉચ્છેદ અને હર્ષના ઉભાવ વચ્ચે થયે હેવાનું કેટલાક લેખકો માને છે, જયારે કેટલાક વિદ્વાને તે ચંદ્રગુપ્તને સમકાલીન હતા તેવી માન્યતા ધરાવે છે. ભારતીય અને યુરોપીય વિદ્વાનોએ આ પ્રશ્નની ચર્ચા કરી તે વાર્તા સ્વરૂપને પ્રસંગ છે, તેમ પ્રતિપાબિત કર્યું છે. આ વાર્તામાં કેના સ્થાનને ગિરિમહાલય કહ્યું છે તેથી તે ગિરિનગર લેવું જોઈએ એવું અનુમાન શ્રી કે. કા. શાસ્ત્રીએ કર્યું છે પરંતુ રામગૃત શક ક્ષત્રપ કેદારના પુત્ર પીર ઉપર આ ચડાઈ પંજાબમાં કરેલી અને ધ્રુવદેવીવાળો પ્રસંગ પંજાબમાં બન્યો હતો. એટલે ગિરિમહાલય તે ગિરિ નગર હોવાને કોઈ સંભવ નથી.
ચંદ્રગુપ્ત ઈ. સ. ૪૧૪માં ગુજરી ગયો અને તેની પાટે તેને પુત્ર કુમાર ગુપ્ત બેઠા. તે ઈ. સ. ૪૫૫માં મૃત્યુ પામ્યો
આ કુમારગુપ્ત કુંવરપદે હતા ત્યારે પિતાની આજ્ઞાથી સૌરાષ્ટ્ર જીતવા આવેલો ત્યારે તેની સાથે તેની રાણી ભીમાબાઈ, પુત્ર પવનસિંહ અને પુત્રી રૂપાળીબા હતાં. કુમારપાળે વંથલી લીધું અને રૂપાળીબા બહાદુરસિંહના પ્રેમમાં પડી પરંતુ કુમારપાળે તેને બીજા સાથે પરણાવી પણ તે પતિ ગુજરી ગયે તેથી રૂપાળીબા સતી થવા ગઈ ત્યારે બહાદુરસિંહના માણસે તેને ઉપાડી ગયા. આવી વાર્તાનાં પાત્રો તથા પ્રસંગે ઈતિહાસના અજ્ઞાનવાળા નવલકથાકારની કલ્પનામાત્ર છે તેને ઈતિહાસને કોઈ આધાર નથી.
કુમારગુપ્તની પાટે તેને પરાક્રમી પુત્ર સકંદગુપ્ત આવ્યું. સ્કંદગુપ્તને લેખ
કંદગુપ્તના રાજકાલમાં ઈ. સ. ૪૫૬માં એટલે ગુપ્ત સંવત ૧૩૬ના
2 એ ન્યુ હિસ્ટ્રી ઓફ ઈન્ડિયન પીપલ ડો. આર. સી. મજમુદાર 3 “પથિક', એપ્રિલ, ૧૯૬૯-સૌરાષ્ટ્રની પ્રાચીન નગરીઓ 4 ૧ પ્રમાણે,