________________ સૌરાષ્ટ્રનો ઇતિહાસ પાનાં 816 કિંમત રૂા. 200/ ગુજરાતને કડીબદ્ધ ઈતિહાસ હજી સુધી આપણને મળ્યા નથી.... છતાં “સૌરાષ્ટ્રના ઇતિહાસ” આ પુસ્તકમાં ગુજરાતના ઈતિહાસની આગવી વિશિષ્ટતાની સામાન્ય ઝાંખી પ્રાપ્ત થાય છે....લેખકે...સંશાધનાત્મક દૃષ્ટિએ તપાસી એની સરળ અને ભાવવાહી શૈલીમાં સૌરાષ્ટ્રના ઇતિહાસનું સળંગ કડીબદ્ધ આલેખન કર્યું છે. આ દષ્ટિએ આ પુસ્તક આવકારદાયક છે... સૌરાષ્ટ્રના ઇતિહાસ ફક્ત તવારીખ અને રાજ્યપલટાને એકલે ઈતિહાસ નથી એમાં તો લોકજીવનનું સાંસ્કૃતિક દર્શન પણ છે....આ બધાં પૂરક તત્ત્વોથી સૌરાષ્ટ્રના કડીબદ્ધ ઇતિહાસની આલોચના કરવાની લેખકની મહામૂલી મહેનત સફળ થયેલી ત્યારે ગણાય કે જ્યારે સૌરાષ્ટ્રની જનતા પોતાની આગવી વિશિષ્ટતાએથી સ્વતંત્ર ભારતની પ્રગતિમાં પોતાને સાથ આપે.. તા. 8-9-1969 મુંબઈ સમાચાર ... આ ઈતિહાસ 0 થની એક મોટામાં મોટી વિશિષ્ટતા તો એના લેખક શ્રી શંભુપ્રસાદ દેશાઈની પૂર્વગ્રહ કે અભિગ્રહ વિનાની તટસ્થ અને ખરી ઈતિહાસ દષ્ટિનું દર્શન થાય છે તે છે. તેમણે અસંખ્ય ગ્રંથનું પરિશીલન કરી શિલાલેખો, અભિલેખો તથા સિક્કાઓ વગેરેને આધાર લઇ....પરિબળાના સંદર્ભમાં આલેખે છે....ધ્યાનાર્હ વિશિષ્ટતા એ છે કે એના સ્થાનિક ઈતિહાસ, ઈતિહાસમાં અપાર વૈવિધ્ય છે.. આ ઈતિહાસ ગ્રંથ ભવિષ્યના ઈતિહાસકારોને યથાર્થ દર્શન અર્થે ઘણી બધી સામગ્રી પૂરી પાડે એવે છે એ દષ્ટિએ આ ગ્રંથ પાછળ લેખકને શ્રમ, ખંત અને ચીવટ સાર્થક લેખાય. તા. ર૭-૫-૧૯૬૯ જન્મભૂમિ ". આશ્ચર્યમાં ગરકાવ કરી મૂકે તેવા આ પ્રકાશનના નિવૃત્ત I A. S. શ્રી શંભુપ્રસાદ દેશાઈ લેખક છે.” તે “ઈતિહાસના ઊંડા અભ્યાસી છે...સૌરાષ્ટ્રના ઈતિહાસને લાગેવળગે ત્યાં સુધી એક જ પુસ્તકમાં આધાર સહિતની આટલી સામગ્રી હજી સુધી કેઈએ ૨જૂ કરી નથી. ‘સૌરાષ્ટ્રના ઇતિહાસ’ નામનું દળદાર પ્રકાશન દાદ માગી લે છે.” વૈષ્ણવજન પ્રવીણ પ્રકાશન–રાજકોટ.