SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૪૩૫. * * * આપવાની સૂચના આપી છે. | તેજ ખડક ઉપર ઉક્ત લેખની બાજુમાં શક સંવત ૭૨ (ઈ. સ. ૧પ)માં ભારે વર્ષા અને વાવાઝોડાના કારણે મેર્યકાળમાં બાંધેલા સુદર્શન તળાવની પાળ ફાટી ત્યારે તત્કાલિન મહાક્ષત્રપ રુદ્રદામાએ પ્રજા પાસેથી કેઈપણ જાતને ખર્ચ ન લેતાં તે પાળ સમરાવી. આ કાર્ય તેના અધિકારી સુવિશાખે સંપૂર્ણ કર્યું, તેની ધ ઓ લેખમાં લેવામાં આવી છે. ગુપ્ત વર્ષ ૧ર૬ (ઈ. સ. ૪૫૬)માં ફરીથી આ તળાવ ફાટયું ત્યારે સમ્રાટ સ્કંદગુપ્તના અધિકારી ચક્રપાલિત તેનું સમારકામ કરાવ્યું તેને લેખ તે જ ખડક ઉપર કોતરવામાં આવ્યો છે.' સુદર્શન તળાવ અશોકના શિલાલેખો પાસે સુદર્શન નામનું એક સુંદર તળાવ હતું. આ તળાવે મૌર્ય સમયમાં બાંધવામાં આવ્યું હતું તેમ શક અને ગુપ્ત સમયના લેખે ઉપરથી જણાય છે. આ શિલાલેખો ઈ.સ. ૧૮૮માં વાંચવામાં આવ્યા ત્યારે સુદર્શન તળાવ આ સ્થળે હતું તેમ જાણવા મળ્યું. આ પ્રશ્ન ઉપર ડોકટર ભગવાનલાલ ઈ-દ્રજી, શ્રી અરદેશર જમશેદજી, ડોકટર એ. કેરડીંગ્ટન, શ્રી છોટુભાઈ અત્રિ વગેરે અનેક વિદ્વાનોએ તેના સ્થાનની ચર્ચા કરી છે અને , અનેક પ્રમાણેથી સિદ્ધ કરવામાં આવ્યું છે કે આ તળાવ વર્તમાન શિલાલે ખેની પૂર્વથી શરૂ થઈને સાંપ્રત સમયના જૂનાગઢ શહેરના ધારાગઢ દરવાજાની અંદર ખાપરા-કેઢિયાના ભોંયરાં અને ઉપરકેટની દીવાલને અડીને ત્રિવેણી સુધી ફેલાયું હશે અને તેથી જ તેનાં કાંઠા ઉપર તેનું સમારકામ કર્યાની નેધ લેવામાં આવી છે. ઉપરકેટ જૂનાગઢ શહેરની ઉત્તર પૂર્વમાં ઇતિહાસ પ્રસિદ્ધ ઉપરકોટ કિલ્લો છે તેનું ક્ષેત્રફળ ૨૭૨૪૯૭ ચોરસ વાર છે. આ કિલે કેણે બાંધ્યો તે પ્રમાણભૂત રીતે જાણવા મળતું નથી. એક માન્યતા પ્રમાણે ઉગ્રસેન યાદવે આ કિલે બંધાવ્યું છે. બીજી માન્યતા પ્રમાણે આ કિલ્લે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં બંધાયો છે. 1 જુએ પ્રકરણ રજું પાનું. ૧૯-૨૦-૨૧. 2 વિગતો માટે જુઓ આ પુસ્તકમાં પાનાં “૨૧ તથા ૨૫” તથા સુદર્શન તળાવની - વિગત માટે જુઓ ઈતિહાસ દર્શન તા. ૨ સં, હ. દેસાઈ
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy