SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ગિરનાર : કર૫ પ્રભાસખંડમાં દાતારના પહાડને કાલમેઘને પર્વત કહ્યો છે. તેનું વિસ્તૃત વર્ણને તેમાં જોવામાં આવતું નથી તેથી સંભવ છે કે જે સમયે પ્રભાસખંડ લખાય ત્યારે ત્યાં કંઈ નહિ હે ! પરંતુ અધ્યાય ૯૭માં પુરાણકાર લખે છે કે, જ્યારે કાળયવન, મુચકુંદની નેત્ર જવાલ માં ભસિમભૂત થયે ત્યારે શ્રી કૃષ્ણ મુચકંદને વર માગવા કહ્યું. મુચકદે ત્યારે કહ્યું કે કાળયવનને કાંઈક વર આપ. ત્યારે શ્રીકૃષ્ણ વર આપતાં કહ્યું કે “કાળયવન બળીને ભસ્મ થયે તેની યવને પૂજા કરશે.' પ્રભાસખંડના વિદ્વાન ભાષાંતરકાર વેદમૂર્તિ પાઠક ગોરાભાઈ રામજી તેના ઉપર ટિપ્પણ કરતાં નેધે છે કે કાળયવન જયાં ભસ્મ થયો તે સ્થાને દાતારની જગ્યા થઈ હશે. આ ભાગ અનુમાન છે. તેના માટે કાંઈ આધાર નથી. શ્રી કૃષ્ણ તેના શત્રુને વર આપે અને તે પણ મુચકંદના કહેવાથી તે સંભવિત નથી. આ વાર્તા અવશ્ય ક્ષેપક હેવાનું જણાય છે. પવિત્રતા ગિરનાર એક પવિત્ર પર્વત તરીકે ઓળખાય છે અને પૂજાય છે. તેને આકાર શિવ લિંગ જેવો હોવાથી તેને સંકર સ્વરૂપ માનવામાં આવે છે. પ્રભાસખંડ કહે છે કે તેમાં દશ કરોડ તીર્થો સમાયેલાં હેવાથી તે અપવિત્ર થાય નહિ માટે ઉપર ઘણું રહેવું નહિ. સિદ્ધરાજ જ્યારે ગિરનાર ચડવા ગયે ત્યારે બ્રાહ્મણેએ તેને કહ્યું કે ગિરનાર શિવ લિંગ આકારને છે તેથી ઉપર જવું યોગ્ય નથી. ગિરનારને પરમ પવિત્ર માની તેની પ્રતિ વર્ષ પરકમ્મા કરવામાં આવે છે અને જયારે યાત્રાળુઓ ઉપર ચડે છે ત્યારે તેના પ્રથમ સોપાનને વંદન કરી પછીજ ઉપર જાય છે. ઘણું તે પગથિયે પગથિયે વંદન કરતા ચડે છે. જેન યાત્રિકે ઉપવાસ કરીને ચડે છે અને ઉતરે છે. ઘણું યાત્રાળુઓ “જય ગિરનારી ધજધારી શિખર પર બે ખબર લે હમારી'ના નાદ પણ ગજવે છે. ગિરનારને દેવ તરીકે ગણું તેની પૂજા પણ થતી વિ. સં. ૧૩૪૬ (ઈ. સ. ૧૨૯૯)ના વંથળીના એક શિલાલેખને પ્રારંભ “ નમઃ રેવંતાયથી કરવામાં આવ્યો છે. પરકમ્મા પ્રતિવર્ષ દેવદીવાળીના દિવસે ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવના મંદિર પાસે ગિરનારની પરિક્રમા કરનાર યાત્રિકોને મેળે થાય છે. ત્યાં તેઓ રાત રહે છે અને ત્યાંથી બીજે દિવસે સાવારે ઉપડી, ચરખડીયા, હનુમાન, જ. ગિ-૫૪
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy