SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ બાબી વંશન–અંત : ૩૩૩ પણ રહેતી. મહાલોનાં કેન્દ્રોમાં વાલી ઘોડાઓ રાખવામાં આવતા. જૂનાગઢમાં, સવારી પ્રસંગે નીકળતા કતલ ધેડાએ પણ હતા. જૂનાગઢમાં પશુ ચિકિત્સાલય હતું અને નિષ્ણાત પશુ સજેને પણ સેવામાં હતાં પણ તે જૂનાગઢ શહેરમાં જ રહેતા. આ સર્જનો મુખ્યત્વે રાજયના ઢેર અને ઘડાઓ માટે જ હતા, છતાં ખાનગી માલીકીનાં પશુઓને ઈલાજ કરતા. રાજયના તાલુકાઓમાં સરકારી ઘોડા કે ધણખૂટના ઈલાજ માટે અથવા ઢેરમાં મોટા પ્રમાણમાં રોગચાળો ફેલાય તે જ જતા. વેરાવળમાં “એગમા ઘીની લેબોરેટરી હતી તથા આ ઘીની મુંબઈ વગેરે સ્થળે નિકાસ થતી. રાજ્યમાં વનસ્પતિનું જમાવેલું તેલ (વેજીટેબલ ઘીની આયાત અને વેચાણ ઉપર પ્રતિબંધ હતા, જે પાછળના વર્ષમાં અંશત ઊડી ગયેલે. વન પ્રાણીઓ જંગલ પ્રાણીઓના શિકાર ઉપર પ્રતિબંધ હતા. સિંહ અને દીપડાઓના શિકાર માટે નવાબની પિતાની મંજૂરી અવશ્યક હતી. અન્ય વન પ્રાણીઓની હત્યા માટે મર્યાદિત સંખ્યામાં પરવાના મળતા અને ચેરીછુપીથી શિકાર કરનારને શિક્ષા કરવામાં આવતી. દુષ્કાળ કે અનાવૃષ્ટિના સમયે વન પશુઓને પીવાના પાણી માટે જગલમાં બંધે કે હવાડા બાંધી પાણી પૂરું પાડવામાં આવતું. મેર અને વાંદરા મારવાનું કૃત્ય ગુનાહિત ગણાતું અને રાજ્ય પીનલ કેડમાં તેની શિક્ષા માટે જોગવાઈ હતી. સિંહ, ખેડૂતના બળદે મારી નાખે તે ખેડૂતોને વળતર આપવામાં આવતું. વન પ્રાણીઓના સંરક્ષણ માટે શિકારીઓ-પીઓ રહેતા. વન સંરક્ષણ જંગલના સંરક્ષણ માટે તેને બે મુખ્ય વિભાગોમાં વહેચી નાખવામાં આવેલું', રક્ષિત જંગલ અને મહેસુલી જંગલ. રક્ષિત જંગલના પાંચ વિભાગો હતા. તેમાં ૩૧૪ માઈલના કાચા રસ્તાઓ બાંધવામાં આવેલા. તેના ઉપર વાહન વ્યવહારની મર્યાદિત છૂટ હતી. તે માર્ગો ઉપર જતી મેટરમાં શિકાર ન થાય તે માટે બંદૂક લઈ જવાની મનાઈ હતી. જંગલ ખાતાની એક નર્સરી જામવાળામાં હતી. જંગલમાં ઝાડ કાપવાની વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે કુ કપાતા તથા ત્યાં નવાં વૃક્ષ વાવવા માટે જનાબદ્ધ પ્રવૃત્તિ કરવામાં આવતી.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy