________________
૨૬૬ : જૂનાગઢ અને ગિરનાર
દીવાન પુરુષોતમરાય ઝાલા તથા અન્ય અમીર અને અમલદારોને સાથે લઈ ઈ. સ. ૧૮૯૩ના જાન્યુઆરી માસની ૨૧મી તારીખે ઉત્તર ભારતના પ્રવાસે ગયા અને માર્ચ માસની ૨૩મી એ પાછા ફર્યા. તે પછી ખાનગી કારભારી, શ્રી અમરજી આણંદજી કચ્છી, હઝુર સેક્રેટરી શ્રી છોટાલાલ મથુરાદાસ બક્ષી” ડો. નરોતમદાસ ઈદ્રજી વૈષ્ણવ તથા કેપ્ટન હાઈડ કેઈટસ સાથે ઈ. સ. ૧૮૯૩ના એપ્રિલ માસની ૧૦મી તારીખે દક્ષિણ ભારતના પ્રવાસે ગયા અને જૂન માસની ૧૪મી તારીખે પાછા ફર્યા. તેમને યુરોપના પ્રવાસે જવા માટે આગ્રહ કરવામાં આવ્યા હતા. પણ રસુલખાને તે માટે અનિચ્છા બતાવતા, પ્રવાસ યોજના પડતી મૂકવામાં આવી એમનાથ ઉપર હકૂમત ' ઈ. સ. ૧૮૮માં વડેદરા રાજ્યની સરકારે એ પ્રશ્ન ઉપસ્થિત કર્યો કે, પ્રભાસપાટણમાં આવેલા સેમિનાથના મંદિર, પ્રાચીમાં આવેલા પ્રાચીકુંડ તથા અન્ય મંદિર ઉપર ગાયકવાડ સરકારની હકૂમત છે અને તેથી વડોદરા રાજ્યના અધિકારીઓ કે પ્રજાજને પ્રાચીકુંડમાં સ્નાનાથે કે યાત્રાર્થે જાય તેની પાસેથી જુનાગઢ રાજ્ય કર માગી શકે નહિ. એટલું તે નહિ પણ તે સમયે વસતી ગણતરીનું કાર્ય ચાલતું તે કાર્ય સોમનાથની હદમાં રહેતા ગાયકવાડના પૂજારી અને અન્ય કર્મચારીઓ, કરે અને તે મંદિરની હદ તથા અન્ય મંદિરોની હદ ગાયકવાડની ગણાય તેવો પણ દાવો કર્યો. જૂનાગઢ રાજ્ય સરકારે તે માટે બ્રિટિશ સરકારમાં વધે ઉપસ્થિત કરી રજૂઆત કરતાં મુંબઈ સરકારના ઠરાવ નં. ૫૭૦ તારીખ ૨૭-૧-૧૮૯૧થી વડોદરા રાજ્યને દા નામંજૂર કરવામાં આવ્યું, તેથી તેણે અપીલ કરતાં સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઈન્ડિયાએ આ મંદિર અને પવિત્ર સ્થાને જૂનાગઢની હકૂમતમાં છે અને તેના ઉપરનો સર્વ પ્રકારને અંકુશ જાનાગઢ રાજ્યને છે તે નિર્ણય આપે. પ્રભાસપાટણમાં અશાંતિ ' પ્રભાસપાટણનાં પવિત્ર તીર્થસ્થાનની અમર્યાદ થતી રહેતી અને વારંવાર કામી ઉપદ્રવ થતા અને હિન્દુ પ્રજાની લાગણી દુઃખાય એવા પ્રસંગે બનતા, તેથી બ્રિટિશ સત્તાના આદેશથી તે પ્રશ્નોને અંતિમ નિર્ણય કરવા માટે કર્નલ જે. એમ. હંટરના પ્રમુખપણું નીચે એક કમિશન નીમવામાં આવ્યું.
1 શ્રી. બાબુરાય તથા શ્રી. શ્રીનિવાસ બક્ષીના પિતામહ.