________________
૨૪૦ : જૂનાગઢ અને ગિરનાર
ઈ. સ. ૧૮૮૪ના ઓગસ્ટ માસની ૪થી તારીખે, રાજ્યના મિલિટરી સલાહકાર મેજર ઓટને મુકામ ભીડીયા મહાદેવ પાસે પ્રભાસપાટણમાં પડેલે તેને સાથે લઈ શ્રી અંબારામ છાયા, ૬૦ સવાર અને પાયદળ લઈ ઈશુજ ઉપર ચડયા. તેમણે બે તે પણ બળદ જોડાવી સાથે લીધી. મકરાણીઓની ફારસી ભાષા, તેમના રિવાજો અને તેમની પદ્ધતિથી પૂરેપૂરા પરિચિત તેમજ તે સહુને વ્યક્તિગત ઓળખતા તેમજ બંદુકબાજી, શરીરબલ, વિદ્વતા, વાજૂ ચાતુર્યથી પ્રસિદ્ધ થયેલા પ્રભાસપાટણના યુવાન દેશાઈ હરપ્રસાદ ઉદયશંકર કે, જે તે સમયે ન્યાયખાતામાં પ્રોબેશનર હતા તેમને પણ સાથે રહેવા બેલાવવામાં આવ્યા.
નવાબનું સૈન્ય. ઇણાજ ઉપર પહોંચ્યું ત્યારે અંતિમ વિષ્ટિ કરવા હરપ્રસાદે સૂચન કર્યું. આ સૂચન સ્વીકારી મેજર એ, એજન્સી દફેદાર જમાદાર મહમદ જંગીને તથા દીલમુરાદને વલીમહમદ તથા અલીમહમદને સમજાવવા માટે જવા હુકમ આપ્યો. આ પ્રયાસ નિષ્ફળ ગયા અને વિશેષ વિચાર કરવામાં આવે તે પહેલાં, ઇણાજ ગામ ફરતા ચણી લીધેલા માટીના કેટની એથે રહી, મકરાણીઓએ ગોળીબાર શરૂ કર્યો. આ ઉપરથી અંબારામ છાયાએ હુમલે કરવા આજ્ઞા કરી. નાયબ હાશમખાં શુજતખાં નામના તાપખાનાના અધિકારીએ તાપ દાગી માટીના કેટ ઉપર ગોળાઓ છેડયા અને બંદુકદારોએ ગોળીબાર શરૂ કર્યો. મેજર કે ટ, અંબારામ છાયા તથા હરપ્રસાદ દેશાઈએ જુદી જુદી દિશાએથી માર્ગદર્શન આપ્યું. ઘેડા જ કલાકેમાં સંખ્યાબળ અને શસ્ત્રબળ આગળ મરણએ મહાત થયા. અલીમહમદ તથા તેને પુત્ર વજીરમહમદ તથા વલીમહમદ ભરાઈ ગયા. અલીમહમદનો બીજો પુત્ર અબ્દરેમાન, જમાદાર ઓસ્માનના ભાઈ સાબીરના પુત્ર સાબદાદના પુત્ર ગુલમહમદ પકડાઈ ગયા. રાજ્ય પક્ષે, પ્રભાસપાટણના ચિસ્તી બડામીયાં ફઝદીનમાં મરણ તેના માથા બદલ રાજયે તેના વારસોને ગલીયાવાડ ગામ ઈનામમાં આપ્યું.
ધીંગાણ પૂર્વે, અલીમહમદ તથા વલીમહમદે, નમાઝ પઢી કેસરીયાં કર્યા. ગામની પ્રજાની માફામાફી કરી તેમને ગામ છોડી જવા વિનંતી કરી ત્યારે કરસન ગામોટ નામને બ્રાહ્મણ, હરિજન બે તથા કીસો અને લુહાણ બાઈ ફૂલી ડોસીએ આફતને સમયે જન્મભૂમિ ત્યાગવા કરતાં તેની માટીમાં મળવાનું પસંદ કરી ઊડતી ગોળીઓ સામે ઊભા રહી મૃત્યુને ભેટયાં.
આ ધીંગાણું વખતે અલીમહમદના કાકા નુરમામદને પુત્ર કાદરબસ હાજર ન હતું. તેને જ્યારે ખબર પડી કે અલીમહમદ-વલીમહમદના કુટુંબની