________________
ખાખી વંશ–ઉત્તરાધ : ૨૧૯
અને ત્યાંથી ભારતનાં જુદાં જુદાં નગરના પ્રવાસ કરે તે પ્રવાસમાં તેમની સાથે મેાટા રસાલા હતા. પુરુષોત્તમરાય સુંદરજી ઝાલા માત્ર ૧૫ વર્ષની વયના હતા છતાં તેના પિતાની અવજી તેને સાથે રાખેલા. નવાબના રાજજ્યોતિષી કાશિનાથ કમળાકર જોશીને પણ સાથે લીધેલા. આ પ્રવાસ કરીને નવાબ પાછા ફર્યા ત્યારે પ્રજાજનાએ તેમનું ભવ્ય સન્માન કરેલુ..2
સુધારા
' :
F,
મધ્યકાલીન રાજતંત્રમાં રાજા, તેના પ્રદેશના અને પ્રજાના માલિક હતા. તેની મરજી એ જ કાયદા હતા અને તેના અંગત ખર્ચીનું ઉપાર્જન કરવાનું રાજ્ય એક સાધન હતું. તેમાં પ્રજાનાં સુખદુઃખની ક્રાઇને પડી જ ન હતી. નિર ંતર યુદ્ધો કરી એક બીજાને લૂટવાની, મારવાની કે તેની સ`પત્તિ સ્વાધીન કરવાની જ પ્રવૃત્તિ જારી રહેતી તેમાં સુધારાનો વિચાર પણ કાઈને આવેલા નહિ. પેશ્વા, ગાયકવાડ જૂનાગઢ અને અન્ય રાજ્યો તેમની ખડણી, પેશકશી, જમા કે જોરતલબી ગમે ત્યારે ગમે તેની પાસેથી ગમે તે રીતે બળાત્કારે વસૂલ લેતાં અને તે વસૂલાત સમયે કે અન્ય કારણસર થતાં યુદ્ધ પ્રસંગે ગામડાંમે ઉજજડ કરવામાં સેનાપતિએ અને રાજપતિએ ગર્વ લેતા. માત્ર રાજકર્તાને ખુશ રાખી પેાતાનું સ્થાન ટકાવી રાખવાની ખેવના દીવાના અને રાજપુરુષોને હતી અને તે પ્રવૃત્તિ અ ંતર્યંત ધમ, સમાજ કે રાષ્ટ્ર રાષ્ટ્ર પ્રત્યે તેમની કાંઈક પણ જવાબદારી છે તે વિચાર પણ ન હતા. પ્રજાને ન્યાય આપવાનું કે દેશને આબાદ કરવાનું કર્મને સૂઝેલુ' પણ નહિ. નંદનવન જેવા સેારને આ સમશેર શેખીત રાજપતિએ ઉજ્જડ કરી પ્રજાને પાયમાલ કરી પોતે પણ અ ંતે નિર્ધન અને નિળ થયા અને એક દિવસે ચુપચાપ વગર વિરાધે અને વગર અવાજે, બ્રિટિશ સત્તાને આધીન થયા.
બ્રિટિશ સત્તાએ તેમના મનસ્વી વન ઉપર અંકુશ મૂકયે, પરસ્પર યુદ્ધો બંધ કરાવ્યાં, જમા જોરતલખીની વસૂલાતના આંકડા નક્કી કર્યો અને તેની વસુલાતની જવાબદારી ।તે સ્વીકારી, રાજાનાં શસ્ત્રો તેમનાં
1 શ્રી કાશીનાથ જોશીને જમાદાર સાલેહ તથા ગેાલજી હા. દ્વારકાદાસ એવી સહીવાળા દીવાનના હુકમથી નવાબ સાથે જવા આજ્ઞા થયેલી. (મૂળપુત્ર શ્રી રા'ભુપ્રસાદ જોશી પાસે.)
2 આ પ્રસ`ગની છાપેલી પત્રિકા બહાર પડેલી તેમાં સર્વશ્રી ખલશાહમિયાં પીરઝાદા, હરિપ્રસાદ કલ્યાણરાય મજમુદાર, કરમચંદ કાહાનજી, આણુ દલાલ હિરદાસ તથા છેલા કર ઉમિયાશંકરની નગરના આગેવાના તરીકે સહી છે