________________
૧૯૦ : જૂનાગઢ અને ગિરનાર
નવાબ હા મેદખાન રજા
નવાબ બહાદરખાનના મૃત્યુ પછી ઈ. સ. ૧૮૪૦માં તેના યુવરાજ હામદખાન બીજા ગાદીએ બેઠા પરંતુ તે સાથે જ ગાદીના હકક માટે બે દાવેદરોએ પિતાને ગાદી ઉપર હકક છે એમ કહી દાવા કર્યા.
નવાબ બહાદરખાનનાં એક બેગમ કુતિયાણાના હબીબખાન સરવાણીનાં બહેન દાદીબુ હતાં. હામદખાન તેના પુત્ર હતા. બીજાં બેગમ રાધનપુર નવાબનાં બહેન નાજબીબી હતાં. તેના પુત્ર મહાબતખાન હતા. નાજુબીબીએ એ દાવો કર્યો કે હામદખાન બાબી ખાનદાનની પુત્રીના પુત્ર નથી માટે તેને ગાદી ઉપર હકક થાય નહિ. આ વિવાદ ચાલતા હતા ત્યાં નવાબનાં ત્રીજા બેગમ અમીર બેગમ કે જે બાંટવાના બાબી હેમતખાનનાં વિધવા હતાં અને નવાબ હામદખાન સાથે પુનર્લગ્ન કર્યા હતાં તેણે તેના પ્રથમ પતિના પુત્ર કબીરખાન ઉર્ફે શેરખાન તથા નવાબ હામેદખાનથી સલાબતખાન નામે પુત્રો હતા તેને દા રજૂ કર્યો. આ બંને દાવેદારોએ સૈનિકેની જમાવટ કરી અને લેહી રેડી મધ્યકાલીન યુગની પદ્ધતિ અનુસાર પિતાને હક્ક પ્રતિપાદિત કરવા નિશ્ચયી થયા.'
આ વિવાદને નિર્ણય બ્રિટિરા એજન્સીએ આપવાને હતિ તેથી રાજકેટથી આસિસ્ટંટ પોલિટિકલ એજન્ટ કેપ્ટન (પાછળથી મેજર અને સર) લી ગ્રાન્ડ જેકબ, કેપ્ટન હટ્ટની સાથે જૂનાગઢ આવ્યા અને સશસ્ત્ર અથડામણ અટકાવી. શેરખાન તથા સલાબતખાને ગીરાસ લઈ પિતાનો હક્ક છેડી દીધો પણ નાજુબીબી સગીર કુંવર મહાબતખાનજીને લઈ રાજમહેલમાંથી નીકળી તેની હજુરી ચાઈતાબુ, તેના પતિ લાલખાન રાણાખાન તથા ખાસ માણસે સાથે ઈદ્રજી ઝવેરચંદની હવેલીમાં ચાલ્યાં ગયાં.
હામદખાન માત્ર બાર વર્ષના હતા પણ હિમ્મતબાજ હતા તેથી તેણે તરત જ સૈનિકે લઈ ઈદ્રજીની હવેલી ઘેરી લીધી અને નાજુબીબીને શરણ થઈ જવા અને રાજકુળની રીતિ પ્રમાણે રાજમહેલમાં ચાલ્યા જવા કહેવરાવ્યું પણ તેણે તેનું માન ન રાખ્યું તેથી નવાબે તાપમારો શરૂ કર્યો અને નાજુબીબી શરણ થતાં તેને તથા મહાબતખાનજીને કેદ કરવામાં આવ્યાં.
મહાબતખાનની સગાઈ તેના મામા રાધનપુર નવાબની પુત્રી સાથે થયેલી તેથી રાધનપુર નવાબે એજન્સીમાં લખી માતા પુત્રને મુકત કરાવ્યાં અને તેને
1 આ ભાઈઓને ખરિયાણું તથા મેટી ઘસાટી એ બે ગામો આપવામાં આવ્યાં. 2 વેસ્ટર્ન ઈન્ડિયા-સર લી ગ્રાન્ડ જેકબ-આ પ્રકરણની બારીક વિગતો આપે છે.