________________
બાબી વંશ-પૂર્વાર્ધ જcs
૧ શિવરહસ્ય ૨ શિવગીતા ૩ ચંડીપાઠના ગરબા ૪ શિવરાત્રી મહાભ્ય ૫ સૂતક નિર્ણય ૬ કાલખંજ આખ્યાન ૭ ઈશ્વરવિવાહ '૮ જાલંધર આખ્યાન ૯ બ્રાહ્મણની ચોરાસી જ્ઞાતિઓનું વર્ણન ૧૦ અંધકાસુર આખ્યાન ૧૧ પ્રદેષ મહિમા ૧૨ ત્રિપુરાસુર આખ્યાન ૧૩ ભસ્માંગદ આખ્યાન ૧૪ મોહિની છલ ૧૫ શંખચૂડ આખ્યાન ૧૬ કામદહન ૧૭ શ્રાદ્ધનિર્ણય ૧૮ બિહારી સતસઈ ૧૯ શિવસાગર કીર્તન ૨૦ કુવલયાનંદ (અલંકારશાસ્ત્ર-હિન્દી) ૨૧ વિશ્વનાથ ઉપરના પત્રો ૨૨ નાગરવિવાહ ૨૩ ઓછવમાલિકા ૨૪ બુઢેશ્વર બાવની. તેમાંના નં. ૧ થી ૧૬ તથા ૨૪ છપાઈ ગયાં છે. બીજાં અપ્રગટ છે.
દીવાન રણછોડજીને સંતતિમાં માત્ર બે પુત્રીઓ રૂપકુંવર અને સૂરજકુંવર હતી. સૂરજકુંવરનાં લગ્ન નરભેરામ વૈદ સાથે કરેલાં. તેના પુત્ર શંકરપ્રસાદને દીવાન રણછોડજીએ દત્તક લીધેલા.'
રણછોડજીએ કુતિયાણુમાં, અમરેશ્વર મહાદેવ તથા વાગીશ્વરી દેવીનાં મંદિર તથા ધર્મશાળા બંધાવ્યાં છે. જૂનાગઢમાં હાટકેશ્વરના મંદિરમાં પંચદેવનું સ્થાપન તથા ભૂતનાથ પાસે સરસ્વતીકુંડ બંધાવી, ત્યાં સરસ્વતી. માતાનું મંદિર, એક ધર્મશાળા પણ બંધાવ્યાં છે. તે ઉપરાંત નીચીબારીમાં તેમના મકાનના એક ભાગમાં ક્રેશ્વરનું મંદિર તથા પડધરી તેમની જાગીરમાં હતું ત્યાં મહાદેવનું મંદિર બંધાવ્યું છે. બુધર
મૂળ માંગરોળના વતની પણ દિલ્હી જઈ સ્વપરાક્રમે દિલ્હીના મંત્રીમંડલમાં સ્થાન પામેલા રાજા છબીલારામ બહાદુરજીને બાદશાહ ફરૂખશિયરે એક રત્ન આપેલું. આ રત્ન મહાભારતના યુદ્ધમાં અર્જુનને હાથે માર્યા ગયેલા કૌરવોના બનેવી જયદ્રથના બાહુમાં હતું. આ બાહુ યુદ્ધમાં કપાઈ જતાં એક સમડી રક્ષેત્રમાંથી લઈ ગઈ અને માંસ ખાઈ રત્ન નાખી દીધું. બાદશાહ અકબરના સમયમાં આ સમડીએ કોઈ સ્ત્રી તર કે જન્મ લીધો અને તેને પૂર્વ જન્મની સ્મૃતિ એક સમડી નાનું હાડકું ઉપાડી શકી નહિ તે ઉપરથી થઈ આવતાં તેની સાહેલીને મહાભારતના રણક્ષેત્રની વાત કરી. આ વાત કર્ણોપકર્ણ અકબરને કાને પડતાં તેણે તે સ્ત્રીને બોલાવી તેના કહેવા પ્રમાણે કોઈ સ્થળે ઉખનન કરતાં આ રન મળી આવ્યું. તે તેના ખજાનામાં હતું અને કિંવદંતી છે તે પ્રમાણે તેની પૂજા થતી રહી. 1 જુઓ કૂટનેટ પૃષ્ઠ નં. ૧૮૮ પર