________________
૧૮૨ ઃ જૂનાગઢ અને ગિરનાર
આપી તેની આશીષ મેળવી પિતાનું નામ અમર કર્યું છે. બાવાવાળા - વીસાવદર પરગણું પિતાનું છે અને નવાબે જબરજસ્તીથી દબાવી દીધું છે એમ કહી ત્યાંના કાઠી દરબાર બાવાવાળાએ જૂનાગઢ રાજય સામે બહારવટું કર્યું. તેણે ગામડાઓ ઉજજડ કર્યા અને નવાબની હકૂમત નહિવત કરી દીધી. નવાબના અધિકારીઓ તેને પારપત કરવામાં નિષ્ફળ ગયા.'
અંગ્રેજ તૌકાસૈન્યના એક અધિકારી કેપ્ટન ગ્રાન્ટની સેવાઓ ગાયકવાડને આપેલી તે મુદત પૂરી થતાં કેપ્ટન ગ્રાન્ટ એક ખાસદાર તથા દુભાષિયા મુનશી સાથે ગિરપ્રદેશમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાવાવાળાએ તેને પકડી લીધો અને અપાર દુઃખ દીધું 2 કેપ્ટન ગ્રાન્ટને બાવાવાળાએ ' કહ્યું કે, જે નવાબ તેના પ્રદેશ પાછા આપે તે જ તેને તે મુકત કરશે. ગ્રાન્ટ મેજર બાનવેલને લખ્યું અને તેણે દીવાન રણછોડજીને ગ્રાન્ટને છોડાવવા લખ્યું. રણછોડજીએ તે માટે મેગ્ય માણસો મોકલ્યા જેની સાથે ગ્રાન્ટે એક અંગ્રેજી પત્ર રણછોડજીને લખે. રણછોડજી અંગ્રેજી જાણતા ન હતા તેથી તેણે તે (પત્ર) મુનશી ભવાનીદાસને વાંચવા આપ્યું. તેણે તે પત્રની બેલેન્ટાઈનને વાત કરી તે ઉપરથી તેણે તેના કૃપાપાત્ર સુંદરજી શિવજીના ભત્રીજા હંસરાજ જેઠાને બહારવટિયા સાથે વાટાઘાટ કરવા મોકલ્યા. હંસરાજે બાવાવાળાને અમુક ગામે આપી ગ્રાન્ટની મુકિત મેળવી. બાવાવાળા તે પછી ગુજરી જતાં આ ગામો નવાબે ખાલસા કર્યા.
આ પ્રસંગ ઈ. સ. ૧૮૨૨માં બને તેમ બાબી રૂલર્સ ઓફ સેરઠમાં જણાવ્યું છે જ્યારે જનરલ સર લી ગ્રાન્ડ જેકબના “વેસ્ટ ઈન્ડિયા આફટર એન્ડ ડયુરિંગ યુટિનિઝ'માં કેપ્ટન ગ્રાન્ટ ઈ. સ. ૧૮૭૧માં લખેલે પત્ર છપાયો છે. તેમાં તેને ઈ. સ. ૧૮૨૦માં પકડયો હોવાનું તે કહે છે.
1 ટ્રાવેલ્સ ઈન વેસ્ટર્ન ઈન્ડિયા-કર્નલ ટોડ. અન્યત્ર આ માર્ગ દીવન સંધએ કાઢો
હોવાનું વિધાન છે. . 2 ટોપી ને તલવાર નર બીજાને નમે નહિ
બંડીખાને મહિના ચાર બાંધી રાખ્યો બાવલા. (સાહિત્ય) 3 વિગતો માટે જુઓ સૌરાષ્ટ્રને ઇતિહાસ-શ. હ. દેશાઈ..